SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) નેપેધિકી સામાચારી : વળી વસતીમાં દેરાસરમાં પ્રવેશ કરતા નિસાહિ કહેવું. સાધુને નિસીહિ શા માટે ? પૂર્વની પ્રવૃત્તિનો ત્યાગ કરવા અર્થાત્ પૂર્વનો વિચાર મગજમાંથી ખલાસ થાય તે માટે સાધુને નિસહિ છે. ગોચરી વખતે કોઇ વરઘોડો વિગેરે જોયો હોય તો મુકામમાં નિસાહિ કહ્યા પછી ભૂલી જવાનું. “આ રીતે આમ વહો” અહીંથી આ વહોવું” ગોચરી સંબંધી જ વાત કરાય જે કાર્ય માટે આવસ્સહી કહીને નીકળ્યા હોઇએ તે સિવાય અન્ય કોઇ જ કાર્ય ન થાય. દેરાસર જવાની ગુરુ મ.સા.ની રજા લઇ “આવસ્તહી' કહી વસતીની બહાર નીકળ્યા પછી ઠલ્લે ન જવાય. અને સ્થડિલની રજા લઇને “આવસ્યહી' કહીને નિકળ્યા પછી દેરાસરે ન જવાય. એક ફેરામાં એક જ કામની આજ્ઞા હોય. કોઇકવાર સમય ન પહોંચતો હોય તો ગુર્વાજ્ઞા લે કે સાહેબ ! કામે જવું છું તો સાથે દર્શન કરીને આવું ? એ અપવાદિક વાત છે. નિસાહિ આવસ્યહી' ખૂબ મહત્વની સામાચારી છે. જ્ઞાન-ધ્યાન નિર્જરાના અંગ સિવાય બહાર નીકળાય જ નહિં. નિસીહિ કહ્યા પછી નિર્જરાનું અંગ ઉભુ ન થાય ત્યાં સુધી બહાર ન જવાય. જ્ઞાન-દર્શન ચારિત્રની વૃદ્ધિ માટે બહાર જવાનું છે. જ્ઞાન વૃદ્ધિ અર્થે વાચના લેવા જવું. દર્શન વૃદ્ધિ અર્થે દર્શન કરવા જવું. ચારિત્ર વૃદ્ધિ અર્થે ગોચરી લેવા જવું. પગ છૂટો કરવા બહાર જવાય જ નહીં. પગ છૂટો કરવો હોય તો ૧૭ ખમાસમણાં વિગેરે દેવા. ) આપૃચ્છા ૭) પ્રતિપૃચ્છા ૮) છંદના ૯) નિમંત્રણા એ ચાર સામાચારી ભેગી બતાવે છે. કામ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે “હે ગુરુદેવ ! હું આ કાર્ય કરું ?' એમ પુછે તે આપૃચ્છા સામાચારી ગુરૂ મહારાજ ના પાડે તે છતાં આપણને કરવા યોગ્ય લાગતું હોય તો પુન:ગુરુ મ.સા.ને કારણે બતાવીને કાર્ય કરવા અંગે પૂછે તે પ્રતિકૃચ્છા સામાચારી. વાચના-પ૮ * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy