SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જતો સાધુ સ્થાન અભિગ્રહ ધારે-તેમાં આઠ માર્ગમાંથી એક-બે માર્ગ ધારે તેમાંથી જે આહાર મળે તે લેવો. (૧) 'ટી '' સ્થાન એટલે પોતાના ઉપાશ્રયેથી સીધા-ઘરેથી ગોચરી વહોરી ગામ બહાર નીકળે ત્યાંથી સીધા ઉપાશ્રયે આવે તે જરી માર્ગ. (૨) 8 જુગતીની જેમ ગૃહસ્થના ઘરે વહોરતો વહોરતો બહાર જાય પાછા ફરતા બીજી શ્રેણીના ઘરોમાંથી ગોચરી ફરતાં ફરતાં ઉપાશ્રયે આવે તે પ્રત્યાગતિ (૩) સામ-સામે રહેલા ઘરોની શ્રેણીઓ પૈકી પ્રથમ ડાબી શ્રેણીના ઘરે પછી જમણી શ્રેણીના ઘરે પુનઃ ડાબે જમણે ગોચરી જાય એમ અનુક્રમે બન્ને શ્રેણીઓના સામ-સામા ઘરોમાં ભિક્ષા લેતો ફરે તે ગોમૂત્રિકા (૪) પતંગિયાની જેમ = અભયત જે તે રીતે ઘરમાં ફરે તે પતંગવિથી (૫) પેટીની જેમ ચારે દિશાની શ્રેણીની કલ્પના કરીને ઘરે ગોચરી ફરે અને વચ્ચેના ઘરો છોડી દે તે પેટા (૬) ચાર દિશાના બદલે બાજુ બાજુની માત્ર બે દિશાની જ શ્રેણી-લાઇનમાં ગોચરી જાય તે અર્ધપેટા (૭) શંખના આવર્તની જેમ ગોળ-ગોળ સ્થિત ઘરોમાં અંદરના ઘરથી (મધ્યથી) વહોરતા વહોરતા બહાર નીકળે તે અત્યંતર શબૂક. (૮) બહારથી અંદર વૃત્તકારે વહોરતા જવું તે બાહ્ય શબૂક પંચાશક વૃત્તિ'માં કહ્યું છે કે શબૂક એટલે શંખ...શંખના આવર્તની જેમ ગોળ-ગોળ ગોચરી ફરવું. તેના પ્રદક્ષિણા ક્રમ અને અપ્રદક્ષિણા ક્રમ એમ બે ભેદ છે. કેટલાક ગ્રંથોમાં પહેલી, બીજી તથા સાતમી, આઠમીને એકત્વ માનીને છ વીથી ગોચર ભૂમિ જણાવી છે. ગોચરી જવાના માર્ગો બતાવી હવે ઇચ્છકાર આદિ દશ સામાચારી કહે છે. કેમકે ગોચરી આદી શ્રમણ આચારોમાં સામાચારીનું પાલન ન હોય તો અનેક જીવોને અધર્મ પમાડે માટે ઇચ્છાકારાદિ સામાચારી કહે છે. ૧) ઇચ્છકાર સામાચારી મોટાને નાના પાસે કંઇ કામ કરાવવું હોય તો પણ ઓર્ડર ન કરે. પણ મમેકં વૃત્યે ગુરુ તમારી ઇચ્છા હો તો મારું આ કામ કરો” એમ કહે. સાધુને પોતાનું કાર્ય તો જાતે જ કરવાનું છે. નિષ્કારણ બીજાને કહેવું નહીં. પણ માંદગી વિગેરેનું કારણ હોય અને કામ બીજાની પાસે કરાવવું પડે તેમ હોય તો પણ બીજાને મર્યાદાપૂર્વક કહે. “તારી ઇચ્છા અનુકૂળતા હોય તો મારું આ કાર્ય કરો.' વળી પોતે કાર્ય કરતા હોય અને કોઇ નિર્જરાર્થે માંગે કે આ કાર્ય મને કરવા આપો તો પણ ઇચ્છકાર' પૂર્વક કાર્ય કરવા આપે. પરંતુ બળાત્કારે કે આજ્ઞાના જોરથી ન કરાવે તે ઇચ્છકાર સામાચારી. - કી વાચના-૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy