SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો છે. આ તપ ફરજીયાત વાળી આપવાનો છે. ઉપવાસ ન કરી શકે તો આયંબિલ, એકાસણા કે છેવટે સ્વાધ્યાયથી પણ આ સામાચારી પાલન કરવાની છે. ૭) આગમણો સામાચારી : ઉપાશ્રય = વસતિમાં પ્રવેશ કરતાં નિસાહિ કહેવું. અંતરના પરિણામ ઉભા કરવા અમુક શબ્દો અમુક રીતે બોલવા જરુરી છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં રત્નત્રયીનું બળ મેળવવા આગમન વખતે નિસાર અને 'નમો માસમUTTU મત્યUUT વૈવામિ'' કહે. નિસીહિ ખોલવાપૂર્વક બહારનું કામ બંધ કરી ગુરુ પાસે નિવેદન કર્યું એકવાર નિસાહિ કહ્યું. પછી સ્વછંદભાવે તાપણી લઇને બીજીવાર ગોચરી માટે દોડાય નહીં. જરૂર હોય તો ગુરુ મ.સા. ને ગોચરીનું નિવેદન કરે. ગુરુ મ.સા. કહે તો જવાનું પણ “ભાવિક છે બોલવે છે'' વિગેરે સમર્થન નહીં કરવું. સામાચારીનું રહસ્ય જ એ છે કે સ્વછંદભાવનો ત્યાગ કરવો. બહારથી આવીએ ત્યારે પગ પૂંજીને અંદર જવું. પગ ઉપર બહારની સચિત્ત રજ લાગી હોય તો દરવાજે ઓઘાથી પગ પૂંજી પછી પ્રવેશ કરે. સામાચારીનું પાલન કરવું એ મહત્વની ચીજ છે. ૮) નિર્ગમન સામાચારી માત્રુ, કાજો વિગેરે પરઠવવા જતાં કે ગોચરી જતા મનમાં 'સાવલ્સિયા'=“આવર્સીહિ' કહેવું. એમાં શાસનની મર્યાદાનું તત્વ છે. હવે થાય કે આજ્ઞા સિવાય ઉપાશ્રયની બહાર ન જ જવાય, ગુરુ મ.સા. ને પ્રતિ પૃચ્છા કર્યા પછી જ ઉપાશ્રયની બહાર આવસ્સહિ” કહી નીકળાય. પ્રતિપૃચ્છા એટલે ? કાર્ય કરવાની રજા માંગવી તે “આપૃચ્છા” કાર્ય કરવાની તૈયારી વખતે ફરી = પુનઃ રજા માંગવી તે “પ્રતિપૃચ્છા'' કાર્ય પહેલાંની રજા માંગવી તે આપૃચ્છા. આપૃચ્છા કર્યા પછી પણ પ્રતિપૃચ્છા કરવાની. રજા લીધા પછી કદાચ ગુરુ મ.સા. ને બીજું કંઈ કામ કહેવું હોય તો પ્રતિપૃચ્છા સમયે કહી શકાય માટે ગોચરી આદિ કાર્ય માટે તૈયાર થઈ વસતીની બહાર જતાં પુનઃ પૂછવું. પૂર્વે વડીલ, પદસ્થ અને ગ્લાન, એમ ત્રણ જ કૂંડીનો ઉપયોગ કરતા. હવે જગ્યાનો અભાવ હોવાથી “જીતકલ્પ'માં બધાને માટે કૂંડીનો ઉપયોગ વિહિત છે. યાચેલી વસતી બહાર માત્ર આદિ પરાઠવા જતાં પણ કુંડી નીચે મુકી આવસતિ આદી બોલે... વાચના-પ૫ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy