SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓએ પૂજામાં જવું જરુરી છે. સાધુ પૂજા રથયાત્રા વિગેરેમાં ન જાય અને ભણવાના નામે ઉપેક્ષા કરે તોય દોષિત છે. ત્યાં જઇ વીતરાગનું લક્ષ મેળવવાનું છે, શાસન, પ્રભાવનાનું નિમિત્ત બનવાનું છે. પણ ગવૈયાના કે બેન્ડના સંગીતમાં તન્મય નથી બનવાનું. તેના સંગીતની પ્રશંસા અનુમોદના થાય તો દોષ લાગે. તેના ભક્તિ ભાવની અનુમોદના થાય હા, તે ભાવ પણ લોકાકર્ષણ માટે નથી ને ? તે જોવું. પૂજામાં જવાનું છે વીતરાગનો ભાવ કેળવવા માટે. ગવૈયો સારો છે, વ્યવહાર સાચવવા અથવા સામાને ખોટું લાગશે એવી ભાવનાથી ભગવાનની પૂજામાં જાય તો તો પણ લૌકિક છે. આવી બધી પ્રવૃત્તિ સાધુને હેય છે. મહોત્સવમાં માત્ર સાક્ષી ભાવે રહેવાનું છે. સાધુને તો સામાચારી સ્વાધ્યાય વિગેરે ભાવધર્મની પ્રધાનતા છે. સાધુને સામાચારીમાં સ્થિર થવાનું છે. ચક્રવાલ સામાચારી દશ પ્રકારની છે. ★ आवस्सय सज्झाए पडिलेहण जाण भिक्ख अभत्त । आगमणे निगमणे ठाणे य निसीयण तुयट्टे ॥ (૧) આવશ્યક (પ્રતિક્રમણ) (૨) સ્વાધ્યાય (૩) પડિલેહણ (૪) ધ્યાન (૫) ભિક્ષા (ગોચરી) (૬) અભતઢ (ઉપવાસ) (૭) આગમન (૮) નિર્ગમન (૯) સ્થાન (ઉભા રહેવું) (૧૦) નિષદ્યા આ દશ સમાચારી છે. તેમાં ૧) આવશ્યક સામાચારી : મુદ્રાઓ સાચવી અપ્રમત્તપણે ઉપયોગપૂર્વક ઉભયકાળ પ્રતિક્રમણ કરે. તેમાં છ આવશ્યકની વિધિ આસન વિના કરે. इच्छाकारेण संदिसह भगवन् राइयं आलोउं ? त्यांथी आयरीय उवज्झाये સુધી પ્રતિક્રમણમાં યથાજાત મુદ્રા છે. વચ્ચે-વચ્ચે અમુક સૂત્રોની સ્પેશ્યલ મુદ્રાઓ આવે. પરમાત્માની સામે વિનયપૂર્વક પાપોની આલોચના કરે. શ્રમણસૂત્ર વીરાસને બેસીને બોલે. ''ગાયરિય સવાય'' માં અંજલિ મુદ્રા કરે. આમ ખમાસમણા વાંદણા વિગેરેની પણ મુદ્રાઓ સાચવીને અને ઉપયોગ પૂર્વક પ્રતિક્રમણ કરવું. આ રીતે પરમાત્મા ગુરૂ ભગવંત સામે વિનય પૂર્વક પાપોની આલોચના કરે (કરવી) તે આવશ્યક સામાચારી. ૨) ‘‘સ્વાધ્યાય સામાચારી'' આ સમાચારી પાલનમાં પરાવર્તના રૂપ સ્વાધ્યાય * મહાનિશીથ સૂત્ર, પ્રવચન સારોદ્વાર વિગેરે ગ્રંથોમાં અન્ય રીતે પણ ચક્રવાલ સામાચારી જણાવી છે. જુઓ વાચનાનં. ૫૮ સંપાદક વાચના-૫૫ Jain Education International For Private & Personal Use Only ૧૫૯ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy