SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ગુણાનુરાગ. (૩) અપ્રાપ્ત પૂર્વ હર્ષ અને (૪) વિધિ ભંગે ભવનો ભય. પહેલું લક્ષણ ‘તદર્થાલોચનમાં ક્રિયા સૂત્રોના અર્થની ઊંડાણથી વિચારણા કરવી કે જેથી સૂત્રોમાં રહેલા ભાવોને બુદ્ધિથી સમજીને પછી હૃદયથી સ્વીકારીને અને પછી તે ભાવોને અંતરમાં પેદા કરે. બીજું લક્ષણ “ગુણાનુરાગ'માં સૂત્રનો અર્થ જાણવાથી આત્મિક ભાવો જેમ જેમ વધે તેમ તેમ સૂત્ર, અર્થ અને સૂત્રના ઉપદેશક અરિહંત ભગવંતો તથા ગણધર ભગવંતો ઉપર ખૂબ રાગ ઉત્પન્ન થાય છે, અને એમ થાય છે કે, સૂત્ર બતાવનાર અરિહંતો તથા સૂત્ર બનાવનારા ગણધર ભગવંતો જ ખરી રીતે આત્માનું ભલું કરનારા છે. એવા વિચારથી તેઓ પ્રત્યે ખૂબ બહુમાનભાવ પેદા થાય છે. ત્રીજું લક્ષણ “અપ્રાપ્તપૂર્વનો હર્ષમાં સૂત્ર બતાવનારા એવા અરિહંતાદિ પ્રત્યે ખૂબ અનુરાગ થવાથી અનાદિકાળથી ભટકતા એવા મારા જેવા દરિદ્રને મહાનિધાનરૂપ એવી ક્રિયા કરવાનું ક્યારેય પ્રાપ્ત થયું ન હતું પણ આજે પ્રાપ્ત થવાથી હું કૃતાર્થ-બડભાગી થયો છું એવો હૈયામાં-પ્રમોદભાવ આવે અને વચનથી પણ બોલે. ચોથું લક્ષણ ‘વિધિ ભંગે ભવનો ભય'માં અરિહંતાદિ પ્રત્યે પ્રીતિ કે ભક્તિ પેદા થઈ તો તેઓના વચનનું આસેવનવિધિપૂર્વક કરવાનું મન થાય, તે સ્વાભાવિક છે અને અવિધિથી કરશું તો આ વસ્તુ નહિ મળે એવી સાચી સમજણ આવવાથી અવિધિનો ભય સતત લાગતો હોય છે. તેવી રીતે અહીં (ધર્મક્રિયાઓમાં) પણ પ્રમાદાદિથી અવિધિ આદિથી વિધિમાર્ગનું ઉલ્લંઘન થતું હોય ત્યારે અરે રે આનાથી તો મારો સંસાર ઘટવાને બદલે વધી જશે અને આ ઉત્તમ ક્રિયાઓ ફરી પ્રાપ્ત નહિ થાય એવો ભય રહે છે. આવા ભયથી સાવધાની આવે છે. માટે ભાવ વિનાની ક્રિયાઓ સંમૂચ્છિમ જેવી છે અને મોક્ષે ન પહોંચાડી શકે અને ઉપરની ક્રિયાકારકની બેદરકારીથી એવી ક્રિયા વિપરીત ફળને પણ આપનારી બની જાય છે. તો પૂર્વે કહેલ ૪ યોગાંગમાંથી. ત્રીજા “અર્થ' નામના યોગાંગને લક્ષ્યમાં રાખીને આ પુસ્તક દ્વારા પ્રયત્ન કરીએ છીએ. સૂત્ર બોલતી વખતે મનમાં એ સૂત્રનો સૂચિત અર્થ યાદ લાવવા માટે આમાં સૂત્રાનુસારે જ ક્રમ ગોઠવવામાં આવ્યો છે. એ એની આગવી વિશેષતા છે. જ્ઞાન ભણવાથી-સદ્હવાથી, આચરવાથી દ્રવ્યક્રિયા એ ભાવક્રિયા બની જાય છે. અને ભાવપ્રતિક્રમણનું સાક્ષાત્ ફળ તો મોક્ષ છે. અને મોક્ષ ન મળે ત્યાં સુધી વિશિષ્ટ-વિશિષ્ટ કોટિની આત્મવિશુદ્ધિ એ એનું તત્કાળ ફળ છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ છે. તેની ઉપયોગિતા માટે વધુ ન લખતા વાંચન મનન અભ્યાસ દ્વારા પરમાત્માએ પ્રકાશેલ ભાવપ્રતિક્રમણના સંભાગી બનવા દ્વારા પાંચમા અનાલંબન યોગની અપ્રતિપાતિ પ્રાપ્તિ કરીને અંતે મોક્ષસુખના સંભાગી બનીએ એજ અભિલાષા. આ પુસ્તકના સંપાદનની પ્રેરણા સં. ૨૦૫૯ના પાલિતાણાના ચાતુર્માસ દરમિયાન પન્ના-રૂપાના આરાધકો દ્વારા થઈ તેના ફળ સ્વરૂપે આ દળદાર પુસ્તક પ્રગટ થઈ શક્યું છે. આ પુસ્તકના પ્રુફ સંશોધક અમારી સંસારી ભત્રીજી સાધ્વીજી લલીતગુણાશ્રીજીની શિષ્યા સાધ્વીજી રક્ષિતગુણાશ્રીજી તથા વિસનગરના જૈન શિક્ષિકાબહેન જશુમતીબેન ભરતભાઈ ચોકસીનો સહયોગ પ્રાપ્ત થયો છે. એ સાથે વિસનગરના આદરણીય તથા પ્રામાણિક વ્યક્તિ વિનુભાઈ – હ. શાહ (નિવૃત્ત શિક્ષકોના ઉપયોગી સૂચનોનો લાભ મળ્યો છે. તે બદલ તે સર્વને અભિનંદન આપું છું. નિવેદક : મુનિ ભાવેશ રત્નવિજયજી મ.સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy