SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - ચૌદ રાજલોકમાં ભમતા સર્વે જીવો કર્મને વશ છે. તે સર્વેને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમાવે. હું જે મણેણ બદ્ધ, જે જે વાએણ ભાસિયં પાવું । જે જે કાએણ કર્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સ II જે જે મન વડે પાપકર્મ બાંધ્યું હોય, જે જે વાણી વડે પાપકર્મ બંધાય એવું બોલાયું હોય અને જે જે કાયા વડે પાપકર્મ કરાયું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ઇતિ સંસ્તારક વિધિ સંપૂર્ણ. *વિવિધ પચ્ચક્ખાણો (અર્થ સહિત) શબ્દાર્થ - ઉગ્ગએ સૂરે-સૂર્ય ઊગ્યે છતે, નમુક્કારસહિઅં-નમસ્કાર સહિત, મુટ્ઠિસહિઅં-મૂઠી સહિત, પચ્ચક્ખામિ-પચ્ચક્ખાણ કરું છું, ચલ્વિ ંપિ-ચારે પ્રકારના, આહાર-આહારને, અસણં-અશન-રસવતી, પાણું-પાણી, ખાઈમં-ખાદિમ, મિઠાઈ વગેરે, સાઈમં-સ્વાદિમ, તાંબુલ વગેરે, અન્નત્ય-સિવાય, અણાભોગેણં-અણજાણતાં, સહસાગારેણં-સહસાત્કારે, મહત્તરાગારેણં-મોટા લાભને અર્થે, સવ્વસમાહિવત્તિયાગારેણું-સર્વ સમાધિ નિમિત્તક ઔષધાદિ કારણે, વોસિરામિ-ત્યાગ કરું છુ. પોરિસિં-પ્રહર દિવસ ચડે ત્યાં સુધી, સાઢપોરિસિં-દોઢ પ્રહર સુધી, પચ્છન્નકાલેણવખતની ખબર નહિ પડવાથી, દિસામોહેણું-દિશાનો વિપર્યાસ થવાથી, સાહુવયણેણંસાધુનું વચન સાંભળીને, પુરિમ-દિવસના પ્રથમના અર્ધ ભાગ સુધી. * પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું એમ બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે - અવિરતિપણાના સ્વરૂપ પ્રત્યે પ્રતિ-પ્રતિકૂળપણે, આ-આગાર મર્યાદાકરણ સ્વરૂપે કરીને, આખ્યાન-કહેવું છે જેને વિષે તે, પ્રત્યાખ્યાન-અથવા પ્રતિ-આત્મસ્વરૂપ પ્રત્યે, આ-અભિવ્યાપીને, અનાશંસારૂપ ગુણનું કરણ તેનું આખ્યાન-કહેવું છે જેને વિષે તે પ્રત્યાખ્યાન. અથવા પરલોક પ્રતિ આ ક્રિયા યોગાર્થે શુભાશુભ ફળનું કથન છે. જેને વિષે તે પ્રત્યાખ્યાન આ પચ્ચક્ખાણ મૂળ ગુણરૂપ અને ઉત્તર ગુણરૂપ એવા બે ભેદે છે. મૂળગુણ પચ્ચક્ખાણના બે ભેદ છે-દેશથી અને સર્વથી. તેમાં સર્વથી મૂળગુણ પચ્ચક્ખાણ પંચ મહાવ્રતરૂપ તે સાધુને હોય અને દેશથી મૂળગુણ પચ્ચક્ખાણ પંચ અણુવ્રતરૂપ તે શ્રાવકને હોય. સર્વથી ઉત્તરગુણ પચ્ચક્ખાણ પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રકારનો તપ, બાર પ્રતિમા અને અભિગ્રહ વગેરે અનેક પ્રકારે છે, તે સાધુને હોય અને દેશથી ઉત્તરગુણ પચ્ચક્ખાણ અનાગતાદિ દશ પ્રકારનું યથાયોગ્ય રીતે હોય. તે દશ ભેદ આ પ્રમાણે છે - ૧. અનાગત પચ્ચક્ખાણ-પર્યુષણાદિ પર્વમાં ગુરુ, ગ્લાન વગેરેનું વૈયાવચ્ચ કરવાના કારણે અગાઉથી અક્રમાદિ તપ કરે તે, ૨. અતિક્રાન્ત પર્યુષણાદિ પર્વમાં વૈયાવચ્ચાદિ કારણે તપ ન થયો હોય તો પછીથી કરે તે, ૩. કોટિ સહિત ચોવિહાર ઉપવાસાદિ પચ્ચક્ખાણ કર્યું હોય તે પૂરું થતાં તેવું જ બીજું પચ્ચક્ખાણ ફરીથી કરે તે,૪. નિયંત્રિત-પુષ્ટ નિરોગી કે ગ્લાનપણે ગમે તેમ હોય તો પણ અમુક દિવસે અમુક તપ કરીશ, એવો અગાઉથી નિયમ લઈધારેલ દિવસે કરે જ તે (આ પચ્ચક્ખાણ પહેલા સંઘયણવાળા દશપૂર્વી અને જિનકલ્પીને હતું, હાલ વિચ્છેદ થયું છે), ૫. અનાગાર-આગાર રાખ્યા વિના પચ્ચક્ખાણ કરે તે, ૬. સાગાર-આગાર સહિત, ૭. નિરવશેષ-ચાર પ્રકારના આહાર અને અણાહાર વસ્તુનું પચ્ચક્ખાણ કરે તે, ૮. પરિમાણકૃત-દત્તિ, કવળ કે ધ૨ની સંખ્યા ધારે તે, ૯. સાંકેતિક-એટલે અંગુઠાદિ ચિહ્ન વડે કરી પચ્ચક્ખાણ પારવાનું ધારે તે અને ૧૦. અઠ્ઠા SAURRERAARAAAAAAAAAAA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ દેવી તે બનાવશો ? ૨૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy