SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન, દઢવ્વાયત્ત-દઢવ્રતપણાને, મહાવીરો-શ્રી મહાવીર. અર્થ - સુલસા શ્રાવિકા, આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવક ધન્ય છે અને પ્રશંસાપાત્ર છે, જેમના દઢવ્રતપણાની ભગવંત શ્રી મહાવીર સ્વામી પ્રશંસા કરે છે. - પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. ((૯) દેવ વાંદવાની વિધિ) પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી, લોગસ્સ કહી, ઉત્તરાયણ નાખીને, ખમા) દઈ ઇચ્છા, સંદિ૦ ભગ0 ચૈત્યવંદન કરું? ઇચ્છે, કહી ચૈત્યવંદન કરી, જંકિંચિ૦ નમુત્યુસંઈ અને જય વીયરાય૦ (આભવમખંડા સુધી) કહી, ખમા દઈ, ચૈત્યવંદન કરી, કિંચિ0 નમુત્થણં) કહી યાવત્ ચાર થયો કહેવી. પછી નમુત્યુર્ણ૦ કહીને બીજી વાર ચાર થોયો કહેવી. પછી નમુત્થણ૦ કહી, જાવંતિ), જાવંત) નમોહત કહી, સ્તવન (ન આવડે તો ઉવસગ્ગહર) કહેવું અને જય વીયરાય અડધા (આભવમખંડા સુધી) કહેવા. પછી ખમા૦ દઈ ચૈત્યવંદન કરી, જંકિંચિ નમુત્યુÍ૦ કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ દઈને, પ્રભાતના દેવવંદનમાં છેવટે સજઝાય કહેવી. (બપોરે તથા સાંજે ન કહેવી). તે સઝાયને માટે એક ખમા૦ દઈ ઇચ્છા૦ સંદિ0 ભગ0 સઝાય કરું? (ઇચ્છે, કહી નવકાર ગણીને ઉભડક પગે બેસી એક જણ મનહ જિણાણની સજઝાય કહે. (ત્યાર પછી નવકાર ન ગણવો) * પોસહમાં ૧૮ દોષ ટાળવા તેનાં નામ : ૧. પોસહમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી ન પીવું. ૨. પોસહ-નિમિત્તે સરસ આહાર લેવો નહિ.૩. ઉત્તરપારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. ૪. પોસહમાં અથવા પોસહનિમિત્તે આગલે દિવસે દેહવિભૂષા કરવી નહિ. ૫. પોસહ-નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં નહિ. ૬, પોસહનિમિત્તે આભૂષણ ઘડાવવાં નહિ અને પોસઈમાં આભૂષણ પહેરવાં નહિ. ૭. પોસહ-નિમિત્તે વસ્ત્ર રંગાવવાં નહિ. ૮. પોસહમાં શરીર પરથી મેલ ઉતારવો નહિ. ૯. પોસહમાં અકાળે શયન કરવું નહીં. નિદ્રા લેવી નહિ. (રાત્રિનો પહેલો પ્રહર લગભગ પૂર્ણ થયે સંથારાપોરિસી ભણાવવી.) ૧૦. પોસહમાં સારી કે નઠારી સ્ત્રીસંબંધી કથા કરવી નહિ. ૧૧. પોસહમાં આહારને સારો નઠારો કહેવો નહિ. ૧૨. પોસહમાં સારી યા નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી નહિ. ૧૩. પોસહમાં દેશકથા કરવી નહિ. ૧૪. પોસહમાં પૂંજ્યા પડિલેહ્યા વિના લઘુનીતિ (પેશાબ) વડીનીતિ (ઠલ્લો) પરઠવવી નહિ. ૧૫. પોસહમાં કોઈની નિંદા કરવી નહિ. ૧૬ . પોસહમાં (વગર પોસાતી), માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો નહિ. ૧૭. પોસહમાં ચોર સંબંધી વાર્તા કરવી નહિ. ૧૮. પોસહમાં સ્ત્રીનાં અંગોપાંગ નીરખીને (ધારીને) જોવાં નહિ. આ અઢાર દોષ જરૂર ટાળવા. 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમeત્ન ભાવ પ્રતિકમણ કેવી નર્ત બનાવશો ? ૨૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy