________________
ત્રિમૂર્તિ શું છે? બ્રહ્મા એ ઉત્પત્તિનું પ્રતીક છે વિષ્ણુ એ સ્થિરતાનું પ્રતીક , છે અને મહેશ એ વિનાશનું પ્રતીક છે.
એક રાજા હતો. તેને એક દિકરો અને દિકરી હતી. દિકરીને રમવા માટે નાનકડું સોનાનું બેડું રાજાએ બનાવી આપ્યું. એકવાર રાજપુત્રે તે જોયું. તેણે બેડું પડાવી લઈને તેમાંથી મુગટ બનાવ્યો. કન્યા રડતા-રડતી આવી પિતા પાસે. રાજપુત્ર હસતો હસતો આવ્યો. બન્નેને જોઈને રાજા મધ્યસ્થ ભાવે બેઠા છે. તે વિચારે છે ભલે બેડામાંથી મુગટ બનાવ્યો પણ સોનું તો ઘરમાં જ છે ને ! આમ મુગટની ઉત્પત્તિ થઈ. બેડાનો નાશ પણ થયો અને સોના રૂપે કાયમ રહ્યું. કોઈપણ પદાર્થના આ ત્રણ સ્વરૂપ હોય છે. ભગવાન મહાવીરના નજીકના સમયમાં થયેલા દશપૂર્વધરોએ લખેલા ગ્રંથો આગમ તરીકે ગણાય છે. પહેલાં એમ કહેવામાં આવતું કે ૮૪ આગમો હતા. આજે ૪૫ વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org