SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ને અર્થાત જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ પદાર્થ ચાલ્યો જાય એટલે એના સંબંધનું , * જ્ઞાન સમાપ્ત. એક જ ઉપયોગમાં આત્મા ચોવીસે કલાક રહેતો નથી. પાંચ ભૂતમાંથી ઉપયોગ ઉત્પન્ન થાય છે. પાંચભૂતો એ આત્મા નથી. પાંચભૂતોમાંથી આ શરીર બનેલું છે. ઈન્દ્રભૂતિએ વેદ વાક્યનો અર્થ એવો કરેલો કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. જ્યારે એજ વેદમાં યાજ્ઞવલ્કટ અને મૈત્રેયના સંવાદમાં આત્મા નામનું તત્ત્વ જગતમાં વિદ્યમાન છે એમ આવે છે. આ બન્ને વાક્યો વિરોધાભાસ ઉત્પન્ન કરે છે, પણ આ પ્રશ્ન તે કોઈને પૂછતા નથી કોઈને પૂછે તો પોતાનામાં ન્યૂનતા જણાય. માટે શાસ્ત્રો ભણે છે ભણાવે છે પણ શંકાનું નિવારણ કરતા નથી. પ્રભુનો ઉત્તર... : ભગવાન ઈન્દ્રભૂતિ ગૌતમને આત્મા છે તે સમજાવે છે :- પહેલાં આત્માને અનુમાનથી સમજાવે છે. આત્મા ભલે નજરે નથી દેખાતો પણ અનુમાનથી કહી શકાય કે આત્મા છે. જેમ કોઈ ઘરમાં અગ્નિ લાગ્યો હોય અગ્નિ ભલે આપણને ન દેખાતો હોય પણ ધુમાડાના ગોટા પરથી આપણે કહી શકીએ કે ત્યાં અગ્નિ છે તેમ અનુમાનથી કહી શકાય કે આત્મા છે. ઘડો એક માટીનો વિશિષ્ટ આકારવાળો પદાર્થ છે તેને ઘડનાર આ જગતમાં છે કોઈ ? હા, કુંભાર. તેમ આ દેહને પણ ઘડનાર તો કોઈક હશે ને? એક જ માતા હોય, એક જ કુક્ષિ હોય તો પછી સંતાનો વચ્ચે સમાનતા કેમ નહીં ? સર્વનો ઘડનારો જુદો જુદો હોવો જોઈએ તે છે આત્મા. ઈન્દ્રિયો આદાનનું સાધન છે અને વિષયો આદેય છે. વિષયોને આપણે ઈન્દ્રિયો દ્વારા પકડીએ છીએ. જેમ કોઈ તપેલીને સાણસી વડે પકડેલી છે તો એ સાણસીને પકડનાર તો કોઈક ખરો ને ! ઈન્દ્રિયો એ સાણસી છે અને વિષયો એ તપેલી છે. જો ઈન્દ્રિયો સાણસી છે તો તેને ને પકડનારો તો કોઈ ખરો ને ! તે છે આત્મા. શરીર એ ભોગ્ય છે તો તેને રે » ભોગવનારો કોઈ હોવો જોઈએ ને ! ભોજન વસ્ત્ર વગેરે ભોગ્ય છે તેને રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy