________________
સાતમી નારકીને યોગ્ય પાપ તેણે બાંધ્યું. તેનો અંતકાળ આવી પહોંચ્યો. કહેવાય છે કે “જેવી ગતિ તેવી મતિ. અનેક જીવોના ઘાતથી નરકગતિનું આયુષ્ય બાંધેલું હોવાથી અંત સમયે મતિ-વિપર્યાસ થયો. તેના શરીરની બધી ધાતુઓ પાંચ ઇન્દ્રિયોને વિષે વિપરીત બની ગઈ. તે ખૂબ પીડાવા લાગ્યો. સુલસ પિતાની ખૂબ સેવા કરે છે... પિતાને આખા શરીરે દાહ થાય છે તેને શાંત કરવા સુલસ ચંદન વગેરેનું વિલેપન કરે છે. કોમળ શય્યામાં પિતાને સુવાડે છે... શીતળ પાણી પીવડાવે છે. પણ વિપરીતતાના કારણે આવી સુંદર સેવા પણ તેને શાતા આપવાને બદલે અશાતા આપે છે. તુલસ પિતાની વ્યથાથી ખૂબ વ્યથિત છે, તે કસાઈનો પુત્ર હોવા છતાં ખૂબ સંસ્કારી-વિનયી વળી અભયકુમારનો મિત્ર હતો. પોતાની વ્યથા તેણે બુદ્ધિનિધાન એવા અભયકુમારને જણાવી. અભયકુમારે કહ્યું કે ધાતુની વિપરીતતાના કારણે શરીરે ચંદન વગેરે વિલેપનના બદલે વિષ્ટાનું વિલેપન કર. કોમળ શવ્યાને બદલે કાંટાવાળી શય્યા પર સુવાડ. શીતળ પાણીને બદલે ઉકળતા પાણી પા અને સુંદર સંગીતને બદલે તેની પાસે ગધેડાના, ઉંટના સ્વરો સંભળાવ. સુલસે પિતા પાસે આવીને આ રીતે સેવા કરવા માંડી... આ સેવાથી કાલસીકરિક ખૂબ ખુશ થયો. તેણે કહ્યું કે બેટા અત્યાર સુધી તે કેમ મારી આવી સેવા ન કરી? આ બધાથી મને ખૂબ સારું લાગે છે. થોડોક સમય આમ પસાર કરીને અંતે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. હવે સ્વજનો સુલસને કહે છે કે ભાઈ ! તારા પિતાનો વેપાર તું સંભાળી લે. તુલસ સ્વીકારવાની ના પાડે છે તેણે પિતાની અંતિમ સ્થિતિ જોઈ હતી. તે બધાને સમજાવે છે પણ બધા તેના પર વધારે દબાણ કરે છે બધા કહે છે નું શા માટે ડરે છે? તારા દુઃખમાં અમે ભાગ પડાવશું તેથી બધાને શીખ આપવા
માટે તે એક કુહાડો મંગાવે છે અને બધાના દેખતાં જ તે કુહાડો પોતાના તે પગ પર મારે છે ધડધડ કરતું લોહી વહેવા માંડે છે. તે એકદમ પોતાની મા 6 શું વગેરેને કહે છે કે મને બચાવો મને બહુ પીડા થાય છે... મારી વેદના કોઈ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org