________________
સંયોગને છોડી મરજી મુજબ બીજા ઉપાયો કરવાથી તો તે સ્વચ્છંદતા નામનો દુર્ગુણ બમણો વધે છે. ઉપર અંકુશ ન હોવાથી મોહનું જોર ઘણું જ વધે છે. ૧૬
સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી, વર્તે સગુરુ લક્ષા સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ /૧૭
જે આત્માઓ સ્વચ્છંદતા અને પોતપોતાના મતના કદાગ્રહોને ત્યજીને ફકત એક સદ્ગુરુના લક્ષ્યમાં વર્તે છે તે આત્માઓને સદગુરુની આજ્ઞાને અનુસરવા સ્વરૂપ સમ્યકત્વનું કારણ છે. એમ ગણી જ્ઞાની ભગવંતોએ સમ્યકત્વ ભાખ્યું છે../૧૭
જે જે આત્માઓ અનાદિકાલીન પોતાની સ્વચ્છંદતા તથા સ્વમતિકલ્પના તથા પોતપોતાના મતોનો અતિશય આગ્રહ ત્યજી દે છે, મધ્યસ્થહૃદયી બને છે અને સદગુરુ જે વાણી પ્રકાશે તેને અનુસરે છે તે જ સાચો સમ્યકત્વનો પ્રત્યક્ષ ગુણ હોવાથી તે આત્માઓમાં અવશ્ય સમ્યકત્વ છે. એમ જ્ઞાની ભગવંતો જણાવે છે. સદગુરુની આજ્ઞાને અનુસરવું અને અનાદિકાલીન સ્વછંદતા (મિથ્યાત્વોનો ત્યાગ કરવો તે જ સમ્યક્ત્વ છે. I૧૭
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય ૧૮
માન=અભિમાન, તથા પૂજા સત્કાર-સન્માન-બહુમાનનો લોભ ઇત્યાદિ આત્માના મહાશત્રુઓ છે. પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાથી તે શત્રુઓ મરાતા નથી. (પરંતુ અનેકગણા વધે છે.) પરંતુ સગુરુના ચરણકમળમાં જતાં તેઓએ આપેલા દૃષ્ટિઉઘાડથી, અલ્પ પ્રયત્નથી ચાલ્યા જાય છે. ||૧૮૫
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org