SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલેલા હોવાનું જણાય છે. તેમાં તરંવતનો પ્રારંભ પત્ર ૧૪૪ પરથી થાય છે. પાકને સંબંધ પત્ર ૧૪૯૪ની ઉપાંત્ય પંક્તિથી તૂટે છે. તે પછી વાવને કાઈક બીજો અંશ જોડાઈ ગયા છે. તરંગવતીનું અનુસંધાન તે પત્ર ૧૨૬ ઉપર મળે છે. ત્યાંથી પાછી શરૂ થઈને કથા પત્ર ૧૨૯હના મધ્યમાં પૂરી થાય છે.... ( સગત મુનિ જિનવિજયજીએ આ પ્રત જેસેલી અને તેમણે પાઠ જ્યાંથી તૂટે છે ત્યાં તેનું કયા પત્ર પર અનુસંધાન છે તેની નોંધ મૂકેલી છે.) પાછળથી પાટણના ભંડારની મૂળ તાડપત્રીય પ્રત પણે ઉપયોગ માટે મળી શકી (સંધવી પાડાના ભંડારની એ પ્રત સંવત ૧૪૯૭માં લખાયેલી છે.) સરખામણી કરતાં જણાયું કે વડાદરા વાળી નકલ પુર્ણપણે તેના મૂળને વફાદાર છે, પાટણની પ્રતનાં પણ તવતીને પાઠ વંડીદરના પ્રત પ્રમાણે જ વચ્ચેથી તટેલે છે અને અન્યત્ર સંધાય છે. પ્રત ઘણી જૂની અને તાડપત્રની હોવા છતાં અનેક સ્થળે પાઠ ભષ્ટ છે. અક્ષરો વચ્ચે ગરબડ, અનુસ્વારનું ઠેકાણું નહીં, કયાંક અત્રર પડી ગયો હોય તો કયાંક વધારાને હોય આવી બધો કચાશે તેમાં જોવા મળે છે. હસ્તપ્રતોમાં સતવતીનો પાઠ કેટલો ભષ્ટ છે તેને ખ્યાલ અહી: પૂ. ૨૫૯-૨૭૨ ઉપર આપેલા ભ્રષ્ટ પાઠે પરથી મળી રહેશે. અનેક સ્થળે શુદ્ધ પાઠની અટકળ કરવાની રહે છે. કેટલાંક સ્થળે પાછળથી પાઠશુદ્ધિ સૂચવતા તેવાં સ્થળાનો પણ શુદ્ધિ પત્રમાં સમાવેશ કરી લીધું છે. મુદ્રણની અશુદ્ધિ ગણી રહી ગઈ છે, જે માટે પાઠકની ક્ષમા માગલાની છે. ઋણસ્વીકાર તરંગોત્રાના પ્રસ્તુત સંપાદનકાર્યમાં વિવિધ રીતે સહાયભૂત થવા માટે હુ’ નીચેની યક્તિઓ અને સંસ્થાઓ પ્રત્યે મારી આભારની ઊંડી લાગણી અહીં વ્યક્ત કરું છું : ટહેલાના ભંડારની હસ્તપ્રતનો ઉપયોગ કરવા દેવા માટે તે ભંડારના વ્યવસ્થાપકૅ પ્રત્યે અને તે પ્રતને પત્તો લગાડીને સુલભ કરી આપવા માટે શ્રી જેસિંગભાઈ ઠાકર પ્રત્યે; તરંગોઢાની અન્ય પ્રતો માટે જેના કંદ પુસ્તકાલય (સૂરત) પ્રત્યે અને લા દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર પ્રત્યે; ભદ્રેશ્વરની તફાવતની અન્ય પ્રતનો ઉપયોગ કરવા દેવા માટે પ્રવર્તક કાંતિવિજયજીના ભંડારના વ્યવસ્થાપક પ્રત્યે અને તે પ્રત મેળવી આપવા માટે શ્રી લક્ષ્મણભાઈ ભોજક પ્રત્યે; ગ્રંથ પ્રકાશિત કરવા માટે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના અધ્યક્ષ ડે. નગીનદાસ શાહ પ્રત્યે તથા મારા મિત્ર પ્રા. દલસુખભાઈ માલવણિયા પ્રત્યે; મુદ્રણ વેળા વિવિધ રીતે અનુકળ થવા માટે સ્વામીનારાયણ મુદ્રમંદિરના શ્રી કે. ભીખાલાલ ભાવસાર પ્રત્યે. હરિવલ્લભ ભાયાણી અમદાવાદ ફેબ્રુઆરી ૧૯૭૯ ૧૦. કસરવિજયજી ની આવૃિતની પ્રસ્તાવનામાં નહીં.૨.. કાપડિયાએ gવસ્ત્રોના આપેલા તાવના સંક્ષેપ વિશ કર્યો છે (પૃ.૧૮) અને ગ્રંથપાઠને અંતે ભ. ત.ની છેલી બે ગાથા ઢાંકી છે. ૧૧. જુએ દલાલ અને ગાંધી સંપાદિત “પાટણ કેટેલાગ ઐવિ મનસ, ૧૭૩, ૫. ૨૪૪', ક્રમાંક ૪૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy