________________
૨૮૪
તદગલોલા "
પશુબલિ બનવું, અણધાર્યો છુટકારો, સ્વજનો સાથે પુનર્મિલન તથા વૈરાગ્ય અને દીક્ષા, અહણના લાક્ષણિક જન ઉપસંહાર--આ પ્રકારની ઘટના સામગ્રીની ઉત્કટ રસાવહતા સ્વયં પ્રતીત છે. વિવિધ સ્થાને ઘટના પ્રવાહમાં આવતા અણધાર્યો વળાંકે કથાકૌતુકને પોષે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં આ કથામાળખું (કે તેના વિવિધ ધટકા) અનેક કૃતિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યાં છે તેથી પણ તરંગવતી'ના કથાનકની લોકપ્રિયતા પ્રગટ થાય છે. કથા તરંગવતીની આત્મકથા રૂપે પ્રસ્તુત કરીને અને પૂર્વભવના વૃત્તાંતથી ચમત્કારકતા સાધીને પાદલિપ્ત વસ્તુસંવિધાનની સારી કુશળતા દાખવી છે. જો કે પૂર્વજન્મની વાતનું ત્રણચાર વાર થતું પુનરાવર્તન (બંદિનીને કહેતાં, વ્યાધની આત્મકથામાં, ચિત્રવર્ણનમાં વગેરે) સ વિધાનનો કાંઈક અંશે ગંભીર દેષ લેખાય, પણ મૂળ કથામાં તેનું સ્વરૂપ અને પ્રમાણ કેવું હશે તે અંગે આપણે કશું ચોક્કસ જાણતા નથી.
તરંગવતીનું અત્યંત સંવેદનશીલ, સંસ્કારસમૃદ્ધ અને પ્રગ૯ભ વ્યક્તિત્વ સથગ્ર કથાનકમાં તેના પ્રાપદ અને ચાલક તત્વ તરીકે વ્યાપી રહ્યું છે. પાદલિપ્તના જેવી પાત્રની સૂક્ષ્મ અને પ્રબળ રેખાએ અંકિત કરવાની, કથાવસ્તુ ની ક્ષમતા વાળા અંશાને પારખીને બહલાવવાની અને ભાવવાહી નિરૂ પણ તથા વાસ્તવિક તેમ જ આલંકારિક વર્ણનની શક્તિ એક સાથે પ્રાકૃત કે સંસ્કૃત કથા સાહિત્યમાં ઝાઝી જોવા મળતી નથી. અનેક સ્થળે
વિક જીવનના સંપશે ‘તરંગવતી'ને જે જીવંતપણું અધ્યું છે તે પણ ઉત્તરકીન સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં અત્યંત વિરલ બન્યું છે. ‘તરંગવતીને પાદલિપ્તનું એક અદભુત અને અમર સર્જન કહેવામાં જ તેનું ઉચિત મૂલ્યાંકન રહેલું છે.
વસ્તુસંવિધાન, પાત્રચિત્રણ, ભાવનિરૂપ (ચક્રવાકીનો વિલાપ, તરંગવતીની વિરહવેદના, નૌકામાં નાઠા પછીના તરંગવતીના મનભાવ વગેરે) અને પરિસ્થિતિઆલેખનની કુશળતા ઉપરાંત “ તરંગવતી'માં પ્રકટ થતી પાદલિપ્નની વર્ણનશક્તિ અને શૈલી સામર્થ્ય પણ તેને એક મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સ્થાપે છે. સાદીરૂપે તરંગવતી, તેનું બાય, શરદઋતુ, ઉદ્યાનયાત્રા (પ્રયાણ, ઉદ્યાન, સપ્તપર્ણ. બ્રમરબાધા, સરોવર, ચક્રવાકો), ગંગા, ચક્રવાકમિથુનનું પ્રાયજીવન, કોમુદી મહોત્સવ, ચિત્રપટ્ટ, ચેરપલી, ગ્રામીણ જીવન, નગરયાત્રા વગેરેના વાસ્તવિક, જીવંત, કલ્પના પંડિત ચિત્ર કથાના ઉપલબ્ધ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ઘણી સુંઘતા ધરાવે છે, તે મૂળ કથાની વર્ણનસમૃદ્ધિ કેવી હશે તેની તે અટકળ જ કરવાની રહે છે.
તરંગવતીના અલંકારો આયાસમુક્ત અને મૌલિક કલ્પનાના સંસ્પર્શવાળા હોઈને અનેક સ્થળે ચા રતાના પિષક બને છે. ઉપમા, રૂપક, ઉલ્ટેક્ષા, સ્વભાક્તિ વગેરેના સંખ્યાબંધ ઉદાહરણોમાંથી અનેક સ્મૃતિમાં જડાઈ જાય તેવાં હોઈને પાદલિપ્તની સૂક્ષ્મ સૌદર્યદષ્ટિની તથા સાહિત્યિક પરંપરા સાથેના જીવંત અનુસંધાનની દ્યોતક છે. યમક અને અનુપ્રાસના વિષયમાં કવિ સિદ્ધહસ્ત હોવાનું “સં. તરં, ' ઉપરથી પણ સહેજે જોઈ શકાય છે. આરંભની ૭૦ ૦ ગાથાઓ માંથી ૧૨, ૧૭, ૨૧, ૩૧, ૩૪, ૩૬, ૪૦, ૫૦, ૮૯, ૯૩, ૯૪, ૧૦૧, ૧૦૬, ૧૧૯, ૧૩૬, ૧૩૯, ૧૪૯, ૧૭૩, ૧૮૪, ૧૮૫, ૧૮૯, ૧૯૦, ૧૯૮, ૨૧૧, ૨૨૮, ૨૩૦, ૨૩૨, ૨૩૩, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૨, ૨૫૯, ૨૭૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org