SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તર્‘ગલાલા પદ્મદેવને પ્રેમપત્ર “ આ પત્ર મારી હૃદયવાસિની તરંગવતી નામની સુંદરીને આપવાના છે : મદનના શિકારને ભાગ બનેલી, અનંગના ધનુષ્યરૂપ (?), અત્ય ંત શૈાચતીય શરીર ધરતી, સુવિકસિત કમળ સમા વદનવાળી તે બાળાનું આરેાગ્ય અને કુશળતા હાજો, (૭૫૮-૭૫૯). હે પ્રિયે, કામદેવની કૃપાથી મારા અને તારા વચ્ચેના પ્રેમનું ચિંતન થતું રહેતું હાવાથી અહીં સહેજ પણુ અસુખ નથી, (૬૦). છતાં પણુ, તરંગવતી, અન ગશરપ્રહારે પીડિત બનેલે હું તારી અપ્રાપ્તિને કારણે મારાં શિથિલ બનેલાં કામળ અંગેા કેમેય ધારણ કરી શકતેા નથી. (૭૬૧). તું જે જાણે છે તે બધા કુશળસમાચારનું નિવેદન કરીને, હે કમળદળ સમાં વિશાળ અને સુંદર નેત્રવાળી, વધુમાં આ પ્રમાણે મારી વિનંતી છે (૭૬૨): હે પ્રફુલ્લ, કામળ કમળસમા વદનવાળી, પૂના પ્રેમપ્રસ ંગેામાં વ્યક્ત થયેલા તારા ગાઢ પ્રણયાનુરાગથી જન્મેલી કામનાથી હું જળી રહ્યો છું. (૭૬૩). અજ્ઞાનરૂપી અંધકારે પરિ પૂર્ણ અને વિવિધ યેાનિથી ભરપૂર એવા આ જગતમાં પરલોકથી ભ્રષ્ટ......એકબીજા... સાથે...(૭૬૪). હે ચિત્તવાસિની, મિત્રો અને બાંધવેાના વિશાળ ખળ વડે, ભરસક પ્રયાસ કરીને, હું તારી પ્રાપ્તિ માટે શેઠને ફરીથી પ્રસન્ન કરું, ત્યાં સુધી, હે વિશાલાક્ષી તરુણી, આ થોડેક સમય તું વડીલની પ્રીતિના સુખવાળ કૃપાની આશા ધરતી પ્રતીક્ષા કરજે. (૭૬૫–૭૬૬). ૯૫ તર'ગવતીનેા વિષાદ એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, તેના પત્રના વિસ્તૃત અનું તાપ ગ્રહણ કરીને, તેને મધ્યસ્થભાવ હેાવાનું જાણીને ખિન્ન બનેલી હું સૂનમૂન થઈ ગઈ. (૭૬૭), સાથળ પર કાણી ટેકવી ચત્તી રાખેલી હથેળીથી નિર ંતર મુખચ ંદ્રને ઢાંકી, નિશ્ચળ નેત્રે, કશાકના ધ્યાનમાં મેઠી હા તેવી સ્થિતિ હું ધરી રહી. (૭૬૮). એટલે સુંદર વિનયવિવેક કરવામાં વિશારદ સેટી વિનયપૂર્વક કરકમળ વડે મસ્તક પર અંજલિ રચીને મને કહેવા લાગી (૭૬૯), સુંદરી, ચિરકાળ સેવેલે મનેારથ પૂરનારા, જીવિતને અવકાશ આપનારા, સંતાષને સત્કારનારા, પ્રેમસમાગમ અને સુરતપ્રવૃત્તિના સારરૂપ આ પુત્ર તેણે તને મેાકયેા છે એ તેા નક્કી છે. પ્રિયવચનેાના અમૃતપાત્ર સમેા તે પત્ર તારા શેકને પ્રતિમલ છે. (૭૭૦૭૭૧). માટે તું વિષાદ ન ધર; હે પ્રિયંગુત્રી, ભીરુ, સુરતસુખદાયક પ્રિયજનને સમાગમ તને તરતમાં થશે, ’ (૭૨). ચેટીનું આશ્વાસન પણ એ પ્રમાણે કહેતી ચેટીને, હે ગૃહસ્વામિની, મેં કહ્યું, ‘હે સખી, સાંભળ, શા કારણે મને મનમાં વિષાદ થયેા છે તે. (૭૭૩). મને લાગે છે કે તેના ચિત્તમાં મારા પ્રત્યેને સ્નેહભાવ કાંઈક મદ પડયો છે, કારણ, તે મારા સમાગમ કરવાની બાબતમાં કાળપ્રતીક્ષા કરવાનું કહે છે'. (૭૭૪). એટલે, હે ગૃહસ્વર્ગામની, ચેટીએ વિનયપૂર્વક હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy