________________
પુરવણ
ર૫૯ ભટારપદ અને સં૧૭૪૯ ઉનામાં સ્વર્ગ, તેમનું દીક્ષાનું નામ વીરવિજયજી. સૂરિપદનું નામ વિજયપ્રભસૂરિ હતું. તેઓ આ. વિજયસિંહસૂરિજીને પણ ગુરુ તરીકે સંબોધે છે. શિવપુરી (શિરોહી)ના પ્રદેશમાં યતિવિહાર બે વર્ષથી બંધ હતો તે છૂટે થયાના સમાચાર તેમની ભટ્ટારક પદવીના દિવસે મળ્યા હતા. સં૦૧૭૧૫, સં. ૧૭૧૭, સં. ૧૭૨૦માં સોરઠ તથા ગુજરાતમાં મોટા દુકાળ હતા પણ જનતાને રિકૃપાથી ધાન્યની સગવડ થઈ ગઈ. તેમણે ઘણું પ્રતિષ્ઠા કરાવી, અને સં. ૧૭૭૨ જાલોરમ (નાગારમાં) વિજય રત્નસૂરિજીને પિતાની પાટે સ્થાપ્યા. સ્વ. સં. ૧૭૪૯ ઉના.
૬૩. વિજય રત્નમરિ–પાલનપુર કે જેને જેન કાંતિપુરનું બિરુદ છે, ત્યાંના હીરાશાહને હીરાદેવીથી ૧. ન્યાન, ૨. વીરજી, ૩. જેઠે એમ ત્રણ પુત્ર થયા. જેઠાને જન્મ સં. ૧૭૧૧ માં થયો. સં૦ હીરાશાહ સં. ૧૭૧૬ માં મૃત્યુ પામ્યા એટલે હીરાદેવીએ ત્રણે પુત્રો સાથે શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી. સં. ૧૭૧૭ માં જૂનાગઢમાં બિરાજતા આ૦ વિજયપ્રભસૂરિ પાસે દીક્ષા લીધી, જેમાં ત્રણ પુત્રોનાં નામ અનુક્રમે ૧. જ્ઞાનવિજય, ૨. વિમલવિજય અને ૩. જીતવિજય રાખવામાં આવ્યાં. છતવિજયની બુદ્ધિ તીવ્ર હતી. તે એક દિવસમાં ૩૬૦ ગાથા કંઠાગ્ર કરી શકતા હતા. આથી આચાર્યો તેને સં. ૧૭૨૬માં પન્યાસ પદ, સં. ૧૭૭૨ મહા વદિ ૬ રવિવારે નાગારમાં સૂરિપદ આપી, વિજયરત્નસૂરિ નામ રાખી પોતાને પદે સ્થાપ્યા અને સં. ૧૭૫૦ માં તેમને ભટ્ટારક પદ મળ્યું. વિજયરત્નસૂરિએ રાજસભામાં વાદીને જતી અષ્ટાવધાન કરી વાગડના રાવ ખુમાણસિંહને ખુશ ખુશ કરી નાખ્યો. આથી રાણીએ તેમના સત્કારમાં મોતીને સાથીઓ પૂર્યો હતો. એક સંન્યાસી અમદાવાદમાંથી એક બાળકને ઉઠાવી ગયો હશે તેથી સુબા આજમશાહે સંન્યાસી તથા ફકીરાને અમદાવાદમાં રહેવાને મનાઈ હુકમ કાઢો. સૂરિ મહારાજે સુબાને સમજાવી આ મનાઈ હુકમ પાછો ખેંચાવી લીધો અને પોતાના ભાઈ વિમલવિજયજીને ઉપાધ્યાયપદ આપ્યું હતું. સં. ૧૭૬૪ મહા શુ. ૬ મેવાડના રાણ
અમરસિંહને પ્રતિબોધ આપે, કાશીના ભદ્રને હરાવ્યો અને રાણા પાસે હિંસા, અત્યાચાર તથા કરો બંધ કરાવ્યા. સં. ૧૭૭૦ માં જોધપુરમાં ચોમાસું કરી જોધપુર નરેશ અજિતસિંહને પ્રતિબો. મેડતામાં રાણું સંગ્રામસિંહને પ્રતિબોધ આપ્યો. ત્યાં એક ઉપાશ્રયને મસીદ બનાવી દેવામાં આવ્યો હતો તેને મેળવી તેને ફરીવાર ઉપાશ્રય બનાવ્યો. સં. ૧૭૭૩ ભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org