________________
કવિબહાદુર શ્રીદીપવિજયવિરચિત શ્રીસેહમકુલરત્ન-પટ્ટાવલી-રાસ
પ્રથમ ઉલ્લાસ
શ્રી વરદાઇ દુહા મંગલાચરણ : ભગવાન શ્રી મહાવીરસવામીવન સવસ્તિ શ્રી ત્રિસલાસુતન, વરધમાન જિનરાજ; મહાવીર વલી વીરજી, તીર્થંકર સામ્રાજ. ૧ ચોથો આરો થાકતે, વરસ પંચોતેર માંન; માસ તીન ઉપર તા, થયા વીર ભગવાન. ૨ કલિયુગ સંવત જાંઇિ , નૃપતિ યુધિષ્ઠિર ભાન; સંવત છવિસે હું સમેં, થયા વીર ભગવાન. ત્રીસ વરસ ગૃહવાસમેં, બાર વરસ મુનિધ્યાન, છસ્થાવસ્થા રહી, પાયે કેવલજ્ઞાન. ગોતમ આદિ ગણુધરા, પ્રતિધ્યા અગિયાર; અંતર મુહુરતમાં રચી, દ્વાદશાંગી સુવિચાર. રાજગૃહી ગુણશીલ વન, નવ ગણધર ભગવાન; ગચ્છ ભલાવી સોહમને, પિતા મુક્તિ સુથાન. શ્રી સેહમાસવામી તણું, પાટ પધર સૂર; આપ આપણું ગચ્છામેં, વરતે છે નિજ નૂર. ૭ આગે ગરછ ઘણા હુઆ, સમયે વરતે જેહ, જે જે સમયે નિકલ્યા, વરણવ કરસ્યું તેહ. વિસ્તારી વરણવ કરું, પટ્ટાવલી પ્રમાણ ચરિત્ર પ્રભાવક ગ્રંથ થકી, દુસહ યંત્ર પ્રમાણે, શ્રોતા જે સમજુ હયે, તો કરશે કવિ વખાણ મૂરખ મતિ કદાગ્રહી, કરસ્ય ક્રોધ અજાણ. ૧૦ મહાપુરુષ ગુણ ગાવતાં, કરસ્ય જીભ પવિત્ર; શ્રી સમસ્વામી થકી, ભાંખું સકલ ચરિત્ર. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org