SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ સ્થાપક પરમાત્માનો અનન્ય ઉપકાર આપણા ઉપર છે, એ ખ્યાલ આવતો નથી. માટે આપણે ભૂલા પડ્યા છીએ. સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો સાધક પહેલી દૃષ્ટિમાં યોગબીજોને ગ્રહણ કરે છે. આ યોગબીજો મોક્ષના અવધ્ય હેતુ છે. યોગબીજો દ્વારા યોગની પ્રાપ્તિ થાય છે. અને યોગ દ્વારા સાધક મોક્ષ પામી જાય છે. અહીં “તત્ત્વરન’ યોગબીજોનું ગ્રહણ કરે છે એમ કહ્યું છે. ચરમાવર્તિમાં ચરમયથાપ્રવૃત્તકરણ હોય અને અચરમાવર્તમાં પણ યથાપ્રવૃત્તકરણ હોય છે. *અચરમાવર્તિમાં જે યથાપ્રવૃત્ત કરણ થાય છે તેનાથી વિષય-કષાયની પરિણતિ મોળી ન પડે. કારણ કે ત્યાં મોક્ષે જવાની લેશ ઇચ્છા નથી હોતી. ધર્મ સ્થાનોમાં ઓઘ આદર અને પ્રવૃત્તિ રૂપ યથાપ્રવૃત્તિકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ અચરમાવર્તિમાં અનંતીવાર આવે છે. મોહનીય કર્મની ૭૦ કોટાકોટિસાગરોપમમાંથી ૬૯ કોટાકોટિ સાગરોપમ સ્થિતિ ઘટી, એક કોટાકોટિ – સાગરોપમથી પણ અંદર અર્થાત અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિ થાય છે ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે અને ત્યારે આ યથાપ્રવૃત્તકરણ યોગ્યતા રૂપે આવે છે ત્યારબાદ જીવ જ્યારે અપુનબંધકાવસ્થા પામે છે ત્યારે વ્યવહારનયે ચરમયથાપ્રવૃત્તકરણ આવે અને નિશ્ચયનયે અપૂર્વકરણના પૂર્વ અંતર્મુહૂર્તમાં આવે કે જેના પછી જીવ તરત જ ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પામે છે. * [નોંધ: ધર્મપરીક્ષામાં ઉપાધ્યાયજી મહારાજે “ચરમાવર્તમાં જે કાંઈ થાય તે ચરમયથાપ્રવૃત્ત કરણ છે” એમ કહ્યું છે તે અત્યંત સ્કૂલનય અર્થાત્ નિગમનની અપેક્ષાએ છે. વ્યવહારનયે અપુનબંધક અવસ્થાથી ચરમયથાપ્રવૃત્ત કરણ આવે, અને નિશ્ચયનયે અપૂર્વકરણના પૂર્વ અંતર્મુહૂર્તમાં આવે, કે જેના પછી જીવ તરત જ ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પામે છે. ચરમાવર્તિમાં જે મુક્તિનો અદ્વેષ, મુક્તિનો કાંઈક રાગ વગેરે જે યોગબિંદુમાં કહ્યા છે તે યોગ્યતા રૂપે છે. બાકી કાર્યથી તો દરેક જીવને ચરમાવર્તિમાં પણ તે ભિન્ન ભિન્ન કાળે આવે છે. કારણ કે ધર્મ પામવા માટેની સામગ્રી દરેક જીવને ચરમાવર્તિમાં ભિન્ન ભિન્ન કાળે મળે છે.] યોગબીજોમાં જિનની ઉપાસના “ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ યોગબીજ છે, અને તે આપણને મળેલા મન, વચન અને કાયા એ ત્રણે યોગથી કરવાની છે. આપણા મન-વચન અને કાયાને જિન ઉપાસનામાં જ રોકી રાખવાના છે. જિનને વિષે કુશલ ચિત્ત એટલે સુંદર વિચારણા, દ્વેષ-માત્સર્યના અભાવપૂર્વક આદર, બહુમાન, ભક્તિવાળું ચિત્ત તે મનોયોગની આરાધના છે, પ્રીતિ-ભક્તિયુક્ત ચિત્ત = મનોભાવથી પ્રેરાયેલો જે સ્તુતિ રૂપ વચનનો વ્યાપાર, નમસ્કાર તે વચનયોગની પ્રવૃત્તિ છે અને પંચાંગ પ્રણિપાતરૂપ પ્રણામ કરવા, સ્વસ્તિકાદિ અષ્ટમંગલનું આલેખન કરવું, માંડલું રચવું વગેરે કાયયોગનો વ્યાપાર છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy