SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ યોગથી સમાધિ તરફ ત્રિકાલાબાધિત સર્વજ્ઞપ્રણીત પ્રભુ શાસનમાં જ્ઞાનીઓએ છએ દ્રવ્યનું નિરૂપણ કરી તેમાં આત્મદ્રવ્યના ચૈતન્યતત્ત્વના ગુણગાન પેટ ભરીને કર્યા છે અને બાકીના દ્રવ્યોની જે પ્રરૂપણા કરી છે તે પણ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા માટે જ કરી છે. આ જ વસ્તુના સંદર્ભમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી અધ્યાત્મસારના આત્મનિશ્ચયાધિકારમાં લખે છે કે, नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । येनाजीवादयो भावाः, स्वभेदप्रतियोगिनः ॥ ३ ॥ આનું કારણ એક જ છે કે, આત્મા સૌથી સુંદર અને મહાન ચીજ છે. એ જ પોતાની સાચી મૂડી છે એ જ પોતાનો સાચો સગો છે, સાચો સ્નેહી છે,સાચો આનંદ દેનાર છે, સાચો સાથી છે. સમયસારના રચયિતા કુંદકુંદાચાર્ય લખે છે કે, શુદ્ધ નયના વિષયભૂત ચૈતન્ય ચમત્કારમાત્ર તેજ પુંજ સ્વરૂપ આત્માનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પામે છે. નિક્ષેપોનો સમુહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ? વૈત જ પ્રતિભાસિત થતું નથી. જેમ જેમ સાધક સાધનાના માર્ગે આગળ વધે છે તેમ તેમ શુદ્ધિ વધતા અશુભવિકલ્પો શુભમાં પરિણમે છે. ધીમે ધીમે શુભ વિકલ્પો શુભ ભાવ આત્મસાતુ થાય છે. પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ – જ્ઞાયકભાવ વારંવાર દૃષ્ટિમાં આવતા – ઘૂંટાતા ધીમે ધીમે નિમિત્ત ઉપરથી દૃષ્ટિ છૂટી ઉપાદાન તરફ વળે છે. નિમિત્ત ઉપરથી દષ્ટિ છૂટતા નિમિત્તને કારણે થતાં નૈમિત્તિક ભાવો પણ ઘટવા માંડે છે અને વસ્તુ વસ્તુમાં રહી જાય છે. પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ જીવના પર્યાયમાં થતાં નૈમિતિક ભાવ છે. એમાં નિમિત્તભૂત કર્મની અપેક્ષા આવે છે જ્યારે સંવર, નિર્જરા અને મોક્ષ એ જીવના પર્યાયમાં થનારા શુદ્ધ ભાવો છે, જેમાં નિમિત્તભૂત કર્મના અભાવની અપેક્ષા રહે છે. પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા તેને જ વારંવાર જોતાં – તેને જ વારંવાર ઉપયોગમાં લેતાં જીવ-અજીવાદિ નવ ભેદ દેખાતા નથી - રહેતા નથી. એટલે નિમિત્ત - નૈમિત્તિકભાવ મટી જાય છે અને જીવ - પુદ્ગલ જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઇ શકતી નથી, પુદ્ગલ, પુદ્ગલ રૂપે અને જ્ઞાયક, જ્ઞાયક રૂપે ભિન્ન થઈ જાય છે. નવતત્ત્વમાં ભેદને જોનારી દૃષ્ટિ અનાદિની છે. પર્યાયની - ભેદની રૂચિમાં આખું દ્રવ્ય ઢંકાઈ ગયું હતું. હવે ભેદ ઉપરથી નજર હટાવી એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવની પુદ્ગલના સંબંધે જે ભેદવાળી દષ્ટિ હતી તે હવે રહેતી નથી. ચૈતન્ય પ્રકાશની દૃષ્ટિ કરતાં નિમિત્ત - નૈમિત્તિક ભાવનો અભાવ થઈ જાય છે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થાય છે, અનુભવાય છે – એનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્વમાંથી એકલા જ્ઞાયકભાવ રૂપ ધ્રુવસ્વભાવને ભિન્ન તારવી તેને અનુભવવો એ સમ્યગ્દર્શન છે. શેયાનંદ નહિ પણ જ્ઞાનાનંદને અનુભવવો એ સાધકનું કાર્ય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy