SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મનાથ પો.હે. જૈનનગર શ્વે. મૂ. જૈન સંઘનું નિવેદન... જૈનનગરના ઇતિહાસનું ઉજળું પાનું કેટલીક ઘટનાઓ એવી સક્ષમ અને સમૃદ્ધ હોય છે, જેને કાળ પણ ભૂંસી શકતો નથી, બલ્કે વધુને વધુ જીવંત બનાવે છે, હંમેશા તાજી જ હોવાનો અનુભવ કરાવે છે. આવું જ કાંઈ શ્રી જૈનનગર સંઘના ઇતિહાસમાં બન્યું છે. શ્રી સંઘના સહિયારા પુણ્યથી ચાતુર્માસ દરમ્યાન નિર્મળ સંયમપ્રેમી મહાત્માઓના આગમન થયા. આચાર સંપન્ન જિનવચનોએ શ્રી સંઘના અંધારાને સ્નેહપૂર્વક હડસેલો માર્યો અને દિન-પ્રતિદિન યત્કિંચિત્ આરાધનામાં વેગ મળ્યો, વિરાધનાનો ખેદ પ્રગટ્યો. પરમ પૂજય મુનિરાજશ્રી મુક્તિદર્શનવિજયજી મ. સા. નું વિ.સં. ૨૦૫૨નું શ્રી સંઘમાં થયેલ ચાતુર્માસ આ ઉજળા ઇતિહાસનું એક પાનું છે. બાહ્યધર્મના માધ્યમથી આંતરધર્મની પ્રાપ્તિની ક્રમબદ્ધ યાત્રા પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના યોગદૃષ્ટિ ગ્રન્થના માધ્યમથી અત્યંત રોચક અને વેધક ભાવો સાથે કરાવીને મુનિશ્રીએ શ્રીસંઘ ઉપ૨ મહાન ઉપકાર કર્યો છે. યોગ એ તો અલૌકિક આંતરદૃષ્ટિ છે. તે અનાદિકાળથી બહિરાત્મદશામાં ગળાબૂડ ડૂબેલા આત્માને આંતરદૃષ્ટિ કરાવી પરમાત્માના દર્શન કરાવે છે. તે દૃષ્ટિ વ્યાપક અને વિશાળ છે. તેના ભેદ-પ્રભેદ તો સંખ્યાતીત છે, પણ પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ તેને આઠ વિભાગમાં વહેંચી સ્વોપજ્ઞ ગ્રન્થ રચ્યો, જે જૈન શાસનમાં “યોગદૃષ્ટિ સમુચ્ચય” નામે પ્રસિદ્ધ છે. આઠ દૃષ્ટિના વિસ્તૃત વિવેચન દ્વારા આંતરદશાને ઓળખવામાં મુનિશ્રીએ અનહદ સહાયતા કરી છે. જન્મ થતાં જ આંખની પ્રાપ્તિ ભલે થઈ હોય, એટલા માત્રથી દૃષ્ટિની પ્રાપ્તિ શક્ય બનતી નથી, આવી વાત બાળકક્ષાના જીવોને સમજાય એટલી સરળતાથી એમણે અવાર - નવાર રજૂ કરી છે. “જો ઇર્ષ્યા, નિંદા, દ્વેષ, ટીકા કરશો તો પહેલી દૃષ્ટિમાંથી પણ ફેંકાઈ જશો.” આવી ચેતવણી આપતા વચનોના પડઘા કાનમાં આજે પણ ગુંજી રહ્યા છે. અને સ્મૃતિપટ ઉપર આવી રહ્યા છે જે પુસ્તકના પાનાઓમાં પણ જોવા મળે છે. “નિશ્ચય અને વ્યવહાર” આ બે પારિભાષિક શબ્દો વારંવાર સાંભળવામાં આવતા હતા, પણ યોગદષ્ટિના આ વચનોએ એમાં પારદર્શિતા પ્રગટાવી છે. “બીજાને અશાતા આપવી નહીં એ વ્યવહાર ધર્મ છે, તો પોતાની પ્રસન્નતા જાળવી રાખવી એ નિશ્ચય ધર્મ છે.” આવા અનેક ટંકશાળી વચનો દ્વારા બન્ને ધર્મનું પ્રમાણ જાળવવામાં મુનિશ્રીનું વલણ ખૂબ જ અનુમોદનીય રહ્યું હતું. એમના તમામ પ્રવચનોનો મુખ્ય ધ્વનિ સ્વ - સ્વરૂપના વેદન-અનુભવનનો હતો. એને માટે ચોટદાર પ્રશ્નો સભામાંથી જાગ્યા હતા, એના તર્ક અને પ્રતીતિબદ્ધ પ્રત્યુત્તરો Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy