SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સકામ નિર્જરા અને અકામ નિર્જરી ૧૫ રાજકુળ મળ્યું, માતા-પિતા બંને સમકિતદૃષ્ટિ મળ્યા, તેમજ પ્રભુની એક જ દેશનાએ વૈરાગ્ય પામી, આઠ-આઠ પત્નીઓને છોડીને ચારિત્ર લીધું. આ બધા ફળ ઉપરથી અનુમાન કરી શકાય છે કે, મેઘકુમારના જીવે હાથીના ભવમાં જે દયા પાળી હતી, તેના દ્વારા સકામ નિર્જરા કરી હતી. સકામ નિર્જરા એટલે શું? તો આત્મકલ્યાણની બુદ્ધિથી જે કષ્ટો સહન કરીએ તે. લોચ, વિહાર, તપ, ત્યાગ, સંયમ વગેરે જે કષ્ટો સહન કરીએ તે બધી સકામ નિર્જરા કહેવાય. જે કષ્ટ વેઠવા છતાં તેમાં દુઃખ ન દેખાતા એક માત્ર આત્મકલ્યાણ દેખાય તે સામનિર્જરા છે. હાથીએ ક્લેશ કરીને પગ ઊંચો નથી રાખ્યો. તે વખતે મનમાં રંજ નથી, દુઃખ નથી. ક્યાં સુધી સકામ નિર્જરા કરી છે ? અઢી દિવસ પછી પણ પગ નીચે મુકતાં, લોહી-નસ ગંઠાઈ જતાં પડી જાય છે. અને મૃત્યુ પર્યતની વેદનામાં પણ સસલાને બચાવ્યાનો, બીજાની દયાના વિચારનો આનંદ છે. આનાથી પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. સકામ નિર્જરા જ કહેવાય. કષ્ટ વેઠવા છતાં કષ્ટમાં ઉપયોગ ન હોય ને આનંદમાં જ હોય તે સકામ નિર્જરા છે. આપણી સકામ નિર્જરા બહુ મંદ છે. પહેલી અને બીજી દૃષ્ટિ જેવી. આવી પડે અને વેઠવાની ઇચ્છા વિના નિરૂપાયે વેઠી લઈએ તે અકામ નિર્જરા છે. નારકીમાં પણ મિથ્યાત્વી બે જાતના - (૧) ડાહ્યા – ચૂપ કરીને વેઠી લે (૨) પાગલ - તોફાન કરીને વેદે. પાપ કર્મના બંધ કરતાં પુણ્યકર્મનો બંધ સારો. તે કરતાં પુણ્યાનુબંધી પુણ્ય સારું... પાપ કર્મના બંધ કરતાં અકામ નિર્જરા સારી, અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરા સારી.. “માર ખાઈ લેવામાં મઝા છે.” મારવામાં મઝા નથી', આ નારકીના દષ્ટાંતે વિચારવું... નારકીમાં જેના કષાયો મંદ છે તે વિચારે કે અત્યારે મારું કાંઈ ચાલે તેમ નથી, મારા કરતા પરમાધામીનું બળ વધારે છે, માટે મારે શાંતિથી માર ખાઈ લેવામાં જ મઝા છે, એમ સમજી શાંત રહે. પરમાધામીનો માર ખાઈ લે, કષાય ન કરે, તે ત્યાં દુઃખ ભોગવતા છતાં અકામ નિર્જરા કરે, બીજો પરમાધામીને મારવા દોડે, દ્વેષ કરે તે પાપકર્મ બાંધે. જેને પોતાના જીવનમાં પુણ્યની શ્રદ્ધા વાસ્તવિક આવે તેને એ પુણ્યની શ્રદ્ધા આગળ જતાં તત્ત્વની શ્રદ્ધામાં પરિણામ પામી શકે છે. પણ એ પુણ્યની શ્રદ્ધા સાચી જોઈએ. સંસારમાં અધિક અધિક પુણ્ય જ કરવા યોગ્ય છે. અને સાત્વિક ભાવોથી, શુભ ભાવોથી પુણ્ય કર્મ બંધાય છે. પાપ કર્મો છૂટે છે. મૈત્રી-પ્રમોદ, દાન, શીલ, તપ, ભાવ, દીનદુ:ખીની સેવા વગેરે જેને નિરંતર ગમે છે, તેનાથી પુણ્ય બંધાય છે. એ પુણ્યને ખર્ચશે ઓછું, પુણ્યને વધારશે ઘણું, પુણ્ય ભોગવવાથી પુણ્ય ખર્ચાય છે, અને પુણ્ય ઘટતું જાય છે. પુણ્ય જેમ ભોગવાય તેમ પાપકર્મ બંધાય છે. એટલે પુણ્યનો અનિવાર્યતાએ જ ઉપયોગ કરશે. તામલીઃ અનેકને સહાયક થવા છતાં પુણ્ય ખવાય છેવધારે, અને બંધાય છે ઓછું, પાપકર્મ બંધાય છે વધારે. ચોવીસે કલાક દાન-શીલ-ત્યાગ વગેરે પ્રવૃત્તિઓ કરવા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy