SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ નિરતિચાર ચારિત્રના પાલન કાળમાં જૈન દર્શનના સ્યાદ્વાદ સિદ્ધાંતના અભ્યાસથી વસ્તુ સ્વરૂપનો અનેકાંત ગર્ભિત બોધ થાય છે. અથવા તો ઘણા તીવ્રબુદ્ધિ પ્રતિભા ધરાવતા મનુષ્યો વસ્તુ સ્વરૂપનો અનેકાંતમય યથાર્થ નિર્ણય કરે છે છતાં પણ જ્યાં સુધી અંદરમાં પડેલી બુદ્ધિ તીવ્ર રાગ-દ્વેષના સંસ્કારોથી લિપ્ત છે ત્યાં સુધી આ બૌદ્ધિક નિર્ણય અંત:કરણસ્પર્શી બનતો નથી કારણ કે રાગ દ્વેષથી ખરડાયેલું મન બુદ્ધિને અંતઃકરણનો સ્પર્શ કરવા દેતું નથી તેથી તત્ત્વનો યથાર્થ નિર્ણય થવા છતાં પણ તે જ્ઞાન માત્ર હોઠ ઉપર જ રહે છે. હૃદયંગમ થતું નથી. ખરેખર તો સ્યાદ્વાદ અને અનેકાંત સિદ્ધાન્ત દ્વારા વસ્તુનું યથાર્થ દર્શન એ માત્ર યથાર્થ દર્શન કરવા માટે નથી પણ તે યથાર્થ દર્શન કરી અંદરની રાગ-દ્વેષની પરિણતિ તોડી આત્માને વિશુદ્ધ બનાવી સર્વદુ:ખનો અંત કરવા માટે છે. અભવ્યાદિને કે બીજા બુદ્ધિ - પ્રતિભાસંપન્ન થયેલ પદાર્થનો અનેકાંતાત્મક બોધ એ માત્ર વ્યવહારથી સત્ય કહેવાય, નિશ્ચયથી નહિ. વસ્તુ સ્વરૂપનું અનેકાંતાત્મક યથાર્થ દર્શન કરવા દ્વારા બુદ્ધિ અનેકાંત સંસ્કારો વડે પરિકર્મિત બનવી જોઈએ અને અંદરમાં પડેલાં એકાંતના, કદાગ્રહના, કષાયના, તીવ્ર રાગ-દ્વેષના સંસ્કારો તૂટવા જોઈએ. અનેકાંત સંસ્કારોથી બુદ્ધિ જ્યારે પરિકર્મિત થાય છે ત્યારે બૌદ્ધિક જ્ઞાન આત્મસ્પર્શી થાય છે અને વસ્તુ સ્વરૂપનું અનેકાંતાત્મક યથાર્થ જ્ઞાન થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં “સયતનજ્ઞાનવારિત્રાિ મોક્ષમ” અંતર્ગત જે સમ્યગુજ્ઞાન છે તે આ છે અને આ સમ્યજ્ઞાનના બળ ઉપર જીવ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પામે છે અને એમાંથી આગળ વધી સમ્યગુ ચારિત્ર પ્રાપ્ત કરવા દ્વારા મોક્ષમાર્ગ આરાધી મોક્ષે જાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy