SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આવડતું નથી તો ગોખવાથી શું ફાયદો? પ્રયત્ન નિષ્ફળ નથી જતો, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ ઘસાય છે. પણ રસ તીવ્ર લઈને આવ્યા છે માટે ફળ દેખાતું નથી પણ મોહનીયકર્મ પણ સાથે ઘસાય છે ને તેના પરિણામે બાર વર્ષે કેવળજ્ઞાન લઈને ઊભા રહ્યા. આ બધું છઠા ગુણસ્થાનકની પરિણતિથી થયું છે. સમક્તિ સહિતનું ચારિત્ર છે. ગીતાર્થતા નથી. શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિ નથી એટલે દરેક પ્રવૃત્તિમાં ગુરૂની નિશ્રા લેવી પડે છે. એમની પાસે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નથી તેથી પદાર્થોમાં હેયોપાદેયતાનો ખ્યાલ ન આવે. ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચયવ્યવહારનો ખ્યાલ ન આવે માટે ગુરૂની નિશ્રાની સતત જરૂર જણાતી. મનુષ્ય ભવમાં સૌ પહેલાં શાસ્ત્રજ્ઞાન મેળવીને ગીતાર્થ બનવાનું છે. શાસ્ત્રમાં બે જ વિહાર છે એક સ્વયં ગીતાર્થ બનો અને આત્મકલ્યાણ માર્ગે ચાલો. બીજો વિહાર છે ગીતાર્થની નિશ્રાનો વિહાર એટલે જીવનભર એની આજ્ઞાના પાલનમાં (નિશ્રામાં રહેવું અને આત્મકલ્યાણ સાધવું. ત્રીજો વિહાર મોક્ષમાર્ગમાં છે જ નહિં, જેમને મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે અને મોહનીય કર્મનો ક્ષયોપશમ છે તે શિષ્ટ છે. તેઓ પણ પોતાની પૂર્વની પરંપરાના શિષ્યોને પ્રમાણ માને છે અને આમ આ પરંપરા ઠેઠ ગણધર સુધી ચાલે છે. પાંચ-દશ શાસ્ત્રો ભણીને વ્યાખ્યાન કરવા અને ઉત્સર્ગ-અપવાદ ઠોકી બેસાડવા, ઉત્સર્ગની મર્યાદા ફક્ત જાણી લેવી, માર્ગનો બોધ સમજ્યા વગર જેમ તેમ પ્રરુપણા કરવી તે ભયંકર વિરાધના છે. એક મહાપુરુષ લખે છે કે “શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, મર્મ નથી કહ્યો.” મર્મ તો પુરુષના અંતઃકરણમાં વસે છે માટે શાસ્ત્ર કરતાં પણ અધિક સપુરુષની સેવા કરવી જોઈએ કેમકે ગુરૂ પ્રત્યક્ષ ઉપકારી છે શાસ્ત્ર પરોક્ષ ઉપકારી છે. બેમાંથી કોણ ચઢે ? વર્તમાન વિદ્યમાન છપસ્થ ગુરૂની કિંમત ઘણી છે અનેકગણું તેમનું મહત્ત્વ છે. પરમાત્મા બોલતાં નથી, શાસ્ત્રો આવડતાં નથી, તો કલ્યાણ કઈ રીતે થઈ શકે? કોના બળે આત્મકલ્યાણ શક્ય બને? ઉપાધ્યાયજી મહારાજે બીજી દૃષ્ટિની સજુભાયમાં કહ્યું છે કે “શાસ્ત્રો ઘણાં મતિ થોડલી ન કરે જૂઠ ડફાણ” જે ડફાણ કરે તે આત્માને નુકસાન કરે છે. ઊંટવૈદ્યો કેટલું નુકસાન કરે છે એની કોને ખબર નથી? કલિકાળમાં શું ચાલી રહ્યું છે તે કહેવું છે. વર્તમાનકાળમાં કોણ નુકસાન કરી રહ્યા છે? તેમના નામ ન દેવાય પણ સાવધાચાર્યનું નામ દઉં, રાવણનું નામ દઉ તો વાંધો નથી કેમકે તેની ઈકોતેરમી પેઢીનું પણ અહિયાં કોઈ બેઠું નથી. બોધની સૂક્ષ્મતા માટે ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન જરૂરી દશવૈકાલિકમાં કહ્યું છે કે “હેમતે સુ અવાઉડા” શિશિર ઋતુમાં સાધુ ખુલ્લા બેસે. ઓઢવાનું નહી, સ્વાધ્યાય કરવાનો. આમ ઉત્સર્ગ વિધાન છે. પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy