SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વૈનાયિકી મતિ ઉપર બે વિદ્યાર્થીનું દૃષ્ટાંત - ૨૨૪ - - જ્ઞાન, જ્ઞાની પાસેથી જ લેવું જોઈએ. પોતાની જાતે ભણી લેવાથી જૈન શાસનનું હાઈ પામી શકાતું નથી. એમાં અહંકાર આવે છે. જેની પાસેથી જ્ઞાન લેવું છે તેના પ્રત્યે આદર-બહુમાન હોવા જોઈએ. ખાલી જ્ઞાનની વૃદ્ધિ જ નથી કરવાની. પણ મતિજ્ઞાનમાંથી કેવળજ્ઞાન મેળવવાનું છે. આપણા મતિજ્ઞાનને કેવળજ્ઞાન રૂપે બનાવવાનું છે. જૂઓ ! બધું મતિજ્ઞાનમાંથી જ નીકળ્યું છે. સંસાર પણ મતિજ્ઞાનમાંથી નીકળ્યો છે. અને હવે જે કાંઈ પ્રાપ્ત કરવું છે તે પણ જ્ઞાનમાંથી જ પ્રાપ્ત કરવાનું છે, અને તે કરીને પાછું જ્ઞાનમાં જ સમાઈ જવાનું છે. ભણવાથી જ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. મતિજ્ઞાનને કેવળજ્ઞાન બનાવવું હોય તો પહેલા વિતરાગતા લાવવી પડે છે. વીતરાગતા લાવવા માટે, પહેલા વૈરાગ્ય લાવવો પડે. જે જ્ઞાનમાં વૈરાગ્ય નહીં, વીતરાગતા નહીં તો તે જ્ઞાન મોક્ષમાર્ગ નહીં. જે જ્ઞાનમાંથી કષાય, પ્રમાદ, અહંકાર ન નીકળે, તો તે જ્ઞાન મારક બને છે. ગુરુની નિશ્રા, ગુરુની વિનય-ભક્તિ વગરનું જ્ઞાન કાચા પારા જેવું છે. તે જ્ઞાન ફૂટી નીકળે છે. તે જ્ઞાન પચતું નથી. જ્ઞાની તે છે, કે જે સેવાને ઇચ્છે નહીં, સેવાને લે નહીં, સાધક તે છે, કે જે ગુરુની સેવા-ભક્તિ કર્યા વગર રહે નહીં. ગુનિશ્રાએ ભક્તિબહુમાન અને આદરપૂર્વક લીધેલું જ્ઞાન, ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરવા દ્વારા કેવળજ્ઞાન બનીને રહે છે. ઠેઠ મોશે પહોંચાડે છે. વૈનાયિકી મતિ ઉપર બે વિધાર્થીનું દૃષ્ટાંત – બે વિદ્યાર્થી છે. નંબર એક અને નંબર છે. બન્ને ગુરુ પાસે ભણવા રહ્યા છે. એક જ ગુરુ બન્નેને ભણાવે છે. બન્નેને એક સાથે જ ભણાવે છે. ને એકસરખું જ ભણાવે છે. એક પાસે ગુરુ પ્રત્યે ભક્તિ, વિનય, આદર, બહુમાન સેવા, વિવેક બધું છે. ગુરુકૃપાથી તેને મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય છે. બીજા પાસે ગુરુભક્તિ, વિનય, આદર બહુમાન, સેવા, વિવેક નથી. નંબર એકને ન પરિણમે છે. બીજાને પરિણામ પામતું નથી. બન્ને ભણીને તૈયાર થયા. એકવાર તે બન્ને એકસ્થાનેથી બીજા સ્થાને જઈ રહ્યા છે. રસ્તામાં ઝાડ નીચે ખાવા બેસે છે. ત્યાં પહેલો વિદ્યાર્થી બીજાને કહે છે. - જલ્દી ખાઈ લે, આપણે જલ્દી ખાઈને જલ્દી રાજા પાસે પહોંચીએ તો દક્ષિણા વિગેરે મળશે. રાજા અત્યારે અનેક લોકોને દાન-દક્ષિણા-વધામણી આપતાં હશે. માટે આપણે પણ ત્યાં પહોંચી જઈએ. બીજો પૂછે છે કે તે કેવી રીતે જાણું? પહેલો કહે છે જો સાંભળ! આ હાથિણીના પગલાં છે. અહીંથી હાથિણી ગઈ છે. તે એક આંખે કાણી છે. તેના પર રાજાની રાણી બેઠેલી છે. એ રાણીએ લાલ સાડી પહેરેલી છે. તે ગર્ભવતી છે. નજીકમાં જ (હમણાં જ) પ્રસવવાળી છે. તેને પુત્ર જન્મશે. પુત્રની વધામણીમાં રાજા યાચકોને અઢળક દાન આપશે. આપણાને પણ દાન મળશે, અને આગળ જતાં વિનીત વિદ્યાર્થીએ જે રીતે કહ્યું હતું તે જ રીતે બધું જોવા મળ્યું. બન્ને જણા વાતો કરતાં આગળ ચાલી રહ્યા છે, ત્યાં રસ્તામાં સરોવર આવ્યું. એક ડોશીમા પાણીનો ઘડો લઈને ત્યાંથી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy