SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ હોવા છતાં એ બે સ્તુતિઓ પરમોપકારી આચાર્યદેવેશે પ્રતિભાશક્તિ વડે અત્યન્ત સરળ અને સૌ કોઈથી સમજી શકાય તેવી સ્પષ્ટ ભાષામાં ઉતારી બતાવી છે. સમ્યક્ત્વની પરમ વિશુદ્ધિ અને શાસન પ્રત્યે દઢ અનુરાગ ઉત્પન્ન કરવા માટે એ બે સ્તુતિઓ અત્યંત ઉપકારી છે, વિચક્ષણ આત્માનું પ્રબળમાં પ્રબળ મિથ્યાત્વ વિષ ક્ષણવારમાં ઉતારી નાંખે તેમ છે અને કલિકાલના મહાધકારમાં પ્રકાશ પાથરવા માટે રનની બે નાની દીવડીએની ગરજ સારે તેમ છે. - ત્યારબાદ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિબંધ પામેલા અને શ્રી અરિહંતદેવના શાસનના પરમ ભક્ત બનેલા મહારાજાધિરાજ શ્રી કુમારપાલ ભૂપાલે સ્વયં બનાવેલી શ્રી જિનેશ્વરદેવની હદયદ્રાવક સ્તુતિ આપવામાં આવી છે. આ સ્તુતિ પ્રત્યેક ભાવુક આત્માને શ્રી જિનેશ્વરદેવની સાથે તમય બનાવી ભક્તિ રસમાં તરલ કરી દે તેવી છે. એ સ્તુતિના તેત્રીસ કાવ્યો છે. તેના દ્વારા એ પરમાત્માની સ્તવન કરનાર ભવ્ય આત્મા આજે પણ રોમાંચાંચિતવપુ-રોમાંચ યુક્ત શરીરવાળો બની જાય છે. તથા સંસારનું ભાન ભૂલી જતા અને શ્રી જિનેશ્વરદેવની સાથે _Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy