SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ Go૮ * * શાસનપ્રભાવક * શ્રી વર્ધમાન છે. જૈન સંઘ, ચોકસી પાર્ક, સં. ૨૦૪૫ * શ્રી બગીચા વિસ્તાર જેન સંધ, હિંમતનગર, સં. ૨૦૪પ જ પૂજ્યશ્રી નિરાલાજી મહારાજ સંપાદિત સાહિત્ય (ગુજરાતી): * અમારી જીવદયા પુકાર, પહેલી આવૃત્તિ, ૧૦,૦૦૦ પ્રત. * બેનડી ! તું પવિત્ર રહેજે !, બીજી આવૃત્તિ, ૪૦૦૦ પ્રત. * સો ગુણેને એક સાથી, બીજી આવૃત્તિ, ૩૦૦૦ પ્રત. * ચાલે! વીતરાગની વાટે, પહેલી આવૃત્તિ, ૧૦૦૦ પ્રત. * હવે જાગે ને જાણ્યું કે ધર્મ શા માટે............. હિન્દીમાં વીવવાન્ન—-બીજી આવૃત્તિ – ૧૩૦૦૦ પ્રત. દુમત નીવરાપુ પહેલી આવૃત્તિ – ૧૦૦૦૦ પ્રત. પૂજ્યશ્રીનું ધાર્મિક સાહિત્યમાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. પૂજ્યશ્રીનાં પુસ્તક બહુ જ સરળ, સાદા અને સચોટ હેઈને આબાલવૃદ્ધ સૌને ખૂબ જ ગમી જાય છે. તેઓશ્રીના જીવદયા વિષયક પુસ્તક વાંચીને હજારો લોકેએ માંસાહારને ત્યાગ કર્યો છે; લાખોએ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. ટૂંકમાં પૂ. મુનિરાજશ્રી રાજચંદ્રવિજયજી મહારાજ (નિરાલાજી) ૧૮ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં અનેકવિધ કાર્યસિદ્ધિઓને વર્યા છે. એ સર્વ કાર્યો નાનોસૂનાં નથી. એ કાર્યોથી સમાજમાં નવજાગૃતિને જુવાળ આવ્યું છે. પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પામીને ઉત્તરોત્તર ઉત્તમોત્તમ શાસનપ્રભાવક કાર્યો સંપન્ન કરતા રહે એવી શાસનદેવને પ્રાર્થના સહ પૂજ્યશ્રીના ચરણમાં કોટિ કોટિ વંદના ! પૂ. મુનિરાજશ્રી મહાયશવિજયજી મહારાજ સૌરાષ્ટ્રના પાવનકારી શહેર જામનગરમાં મેહનભાઈનાં શીલવંતાં ધર્મપત્ની ધનકરબહેનની કુક્ષીએ સં. ૨૦૦૧ના શ્રાવણ વદ અમાસને દિવસે પુત્રરત્નને જન્મ થયે. બાળકનું નામ મહેન્દ્ર પાડ્યું. માતાપિતાએ બાળપણથી જ પુત્રમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું. પરિણામે મહેન્દ્રભાઈમાં વૈરાગ્યભાવના પ્રબળ થઈ. મહાપ્રયત્ન અનુમતિ મળી. સં. ૨૦૨૫ના જેઠ સુદ પાંચમના શુભ દિને શાસનસમ્રાટકીને સમુદાયના ન્યાયવિશારદ શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હરિભદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી મહાયશવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૧૧ વર્ષ એકધારા રહીને તપ-અભ્યાસવૈયાવચ્ચમાં સારે વિકાસ સાથે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિનાં અનેક ગ્રામ-નગરમાં વિહાર દરમિયાન પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન, ઉદ્યાપન, છરીપાલિત Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy