SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ ૪પ સુપુત્રી મીનાબેન સં. ૨૦૩૮માં સંયમી બન્યાં. શ્રી મૈત્રીપૂર્ણાશ્રીજી નામ છે. તેઓ પણ આરાધક છે. આ રીતે પૂ. શ્રી પંન્યાસજી મહારાજની નવકારમંત્રની આરાધનાએ ૭-૭ પુણ્યાત્માએને પરમાત્માના પુનિત પંથના પ્રવાસી બનાવ્યા છે. સ્વભાવની સરળતા અને વત્સલતાના કારણે પૂ. પંન્યાસજી મહારાજને સ્વપર–સમુદાયના ઘણાખરા સાધુભગવંતે ઓળખે છે, ચાહે છે. આવા એકનિષ્ઠ આરાધક પંન્યાસજી શ્રી મહાયશવિજયજી મહારાજને કોટિ કેટિ વંદન! એકનિષ્ટ આત્મસાધક પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ : : “મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજીમે અપને યુગ ઔર ઉસકે પાર તક દેખનકી એક દૂરગામી દૃષ્ટિ છેજે વિદ્વાન ઔર ચિંતક તે ઉત્તમ કટિ કે હૈ હીં, લેકિન ઉસસે ભી અધિક વે એક તલ્લીન ઔર એકાંતવિહારી આત્મસાધક હૈ, આયેગી છે. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, આબુ કે સિદ્ધપુરુષ આનંદઘનજી ઔર યેગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી કી પ્રગતિમાન પરંપરા કે વર્તમાનમેં વે એક અગ્રણી સંવાહક હૈ.” ખ્યાતિ પ્રાપ્ત હિન્દી સાહિત્યકાર શ્રી વીરેન્દ્રકુમાર જેને આ શબ્દોમાં જેમનો પરિચય આપે છે તે અધ્યાત્મનિષ્ઠ મુનિવર શ્રી અમરેન્દ્રવિજયજી વર્તમાન શ્રમણ સંઘમાં અધ્યાત્મના શાંત છતાં ગંભીર સ્વરના ઉગાતા બની રહ્યા છે. શ્રમણસંઘમાં સતત વહેતી આવેલી અધ્યાત્મની અંતરંગ ધારાનું આધુનિક યુગ સાથે અનુસંધાને કરવામાં આ પ્રબુદ્ધ મુનિવરનું પ્રદાન જૈન ઇતિહાસનું અપરિહાર્ય અંગ બની રહેશે. જન્મભૂમિ ભુજપુર (કચ્છ). વિદ્યાભૂમિ મુંબઈ દીક્ષાભૂમિ સિરસાલા (ખાનદેશ. જન્મ ઈ. સ. ૧૯૨૫. “જીવનની સાર્થકતા શેમાં?” એ વિચારમંથન કેલેજકાળમાં જ તેમને અધ્યાત્મ ભણી દેરી ગયું. લગ્નજીવનની અનિચ્છા છતાં માતાના અતીવ આગ્રહને વશ લગ્ન કર્યા પણ એ પછીય એમને સંવેગ મળે ન પડ્યો. ઊલટું, એમનું મને મંથન વધુ તીવ્ર અન્યું. આધ્યાત્મિક સાહિત્યના વાચન-મનનને અને સત્સંગને દેર ચાલુ રહ્યો. અંતે આકસ્મિક હાથ ચડેલા એક અંગ્રેજી પુસ્તકના વાચને એમને વૈરાગ્ય સંસારત્યાગમાં પરિણમે. ઇ. સ. ૧૯૫૧માં સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રશિલ્ય પૂ. આ. શ્રી વિજય યદેવસૂરિજીના પટ્ટશિષ્ય મુનિપ્રવર શ્રી ત્રિલેશનવિજ્યજીના હસ્તે દીક્ષા અંગીકાર કરી, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy