SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ પોતાના ખ્યાતનામ ગુરુ સાહિત્યકલારત્ન પૂ. આ. શ્રી યશેદેવસૂરિજી મહારાજના શિષ્ય છે. સંસારીપણામાં પૂ. આચાર્ય શ્રીના ભત્રીજા થાય છે. ગુજરાતનાં પાંચ-છ શહેરા દીક્ષાની ખાણ જેવાં ગણાય છે તે પૈકી ભેઈ પણ એક સ્થળ છે. આ શહેરમાંથી ઘણી દીક્ષાઓ થઈ છે. પૂ. પંન્યાસશ્રીનું સૌંસારી નામ ઓચ્છવલાલ હતુ. તેમના પિતાશ્રી નાથાભાઈ વીરચંદ્રના સુપુત્ર નગીનભાઈ અને માતાનું નામ મણિમહેન હતું. એ દંપતી ખૂબ જ ધર્મશ્રદ્ધાળુ હતું. નગીનભાઈ પૂ. આ. શ્રી યશેદેવસૂરિજી મહારાજના સ’સારીપક્ષે મોટાભાઈ હતા. સ્થાનિક સંઘમાં અગ્રણી હતા. સુખ, શાંતિ અને સગવડભયુ· ઘર હોવા છતાં ગત જન્મના સ`સ્કારને લીધે એચ્છવલાલને વૈરાગ્યભાવ પેદા થયા. ભેઈમાં આવતા-જતા મુનિરાજોના પરિચયમાં રહ્યા કરતા. એમાં જાણીતા વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજના વધુ પરિચયમાં આવતાં તેમની વૈરાગ્યભાવના દૃઢ બની અને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. પ. પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ આદિ પરિવાર સાથે મુનિશ્રી યશેાવિજયજી મહારાજનુ ચોમાસુ સ. ૧૯૯૮માં રાજકોટ–સદરમાં હતું. ભાઈ ઓચ્છવલાલ પેાતાના કાકાશુરુ પાસે ધાર્મિક અભ્યાસ માટે ડભાઈ થી રાજકાટ પહોંચ્યા. ચામાસુ` સાથે રહ્યા. તે પછી પૂ. ગુરુદેવા પાલીતાણા પહોંચ્યા. આચ્છવલાલની દીક્ષાની ભાવના મક્કમ જોઈ ને માતાપિતાએ દીક્ષા આપવાના નિય લીધે. સાથે સાથે નગીનભાઈની કુમારિકા સુપુત્રી માણેકમેનને પણ દીક્ષાની ભાવના હતી, એટલે તે પણ દીક્ષા લેવા તૈયાર થઈ. બંનેના વરઘોડા ડભેાઈમાં ધામધૂમથી કાઢવામાં આવ્યેા. લેાકેાએ ખૂબ ખૂબ બહુમાન કર્યુ અને પછી બંને મુમુક્ષુએ પેાતાના કુટુ ખીએ સાથે પાલીતાણા આવ્યા. ત્યાં પણ દીક્ષાના વરઘોડા નીકળ્યા અને સં. ૧૯૯૯ના અક્ષયતૃતીયાને દિવસે, તળેટી પાસેના ભાથાખાતાના હાલમાં, પૂ. ગુરુદેવેાની ઉપસ્થિતિમાં બંનેને દીક્ષા આપવામાં આવી. ગુરુ તરીકે મુનિશ્રી યશેાવિજયજીને જાહેર કરી મુનિશ્રી વાચસ્પતિવિજયજી નામ આપવામાં આવ્યુ* અને શ્રી કમળાશ્રીજીનાં શિષ્યા તરીકે સાધ્વીશ્રી મ`જુલાશ્રીજી નામ આપ્યું. તે પછી જોગ કર્યાં અને વડી દીક્ષા થઈ. ત્યાર બાદ અભ્યાસકાળ શરૂ થયા, એમાં તેઓશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ ક ગ્રંથ, સ`ગ્રહણી, દશવૈકાલિક આદિના અભ્યાસ કર્યાં. :: શાસનપ્રભાવક ભાઈ એચ્છવલાલનું નામ ઉત્તર પ્રદેશના હાજર રહેલા એક પડિતજીના આગ્રહથી મુનિશ્રી વાચસ્પતિવિજયજી પાડવામાં આવ્યું હતું. તે પછી મુનિએ સસ્કૃત ભાષામાં કાવ્યે અને ધમ`શાસ્ત્રાના સાના એવા અભ્યાસ કર્યો. કલકત્તા યુનિવર્સિટીની સસ્કૃતની પરીક્ષા આપી. સ'સ્કૃત સ્વય' વાંચતા-વંચાવતા થયા. સાદગી, સરળતા, નમ્રતા, વિનય, વિવેક, શાંત સ્વભાવ તેમ જ ગતજન્મની આરાધનાના સુસંસ્કારોને કારણે સયધર્માંની સુંદર આરાધના સાથે યથાશક્તિ ત્યાગ, તપ, જપ વગેરેમાં પણ સાધના કરતા રહ્યા. વૈયાવચ્ચ, વિનય-વિવેકમાં અગ્રેસર રહ્યા. સસ્કૃતભાષાનું જ્ઞાન ઉત્તમ હાવાથી પ્રસિદ્ધ અને રસિક મૃગાવતીચરિત્ર ઘણુ Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy