SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ શાસનપ્રભાવક દેખાતુ' બંધ થયું. આવી અવસ્થામાં પણ પેાતાનું કાય બીજા પાસે કરાવવાની વૃત્તિ નહીં. લુણાવામાં બે વરસના સ્થિરવાસ થયા. એ દરમિયાન સ`. ૨૦૦૮ના કારતક વ૬ ૧૩ની સાંજે નવકારમંત્રના ધ્યાનમાં ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. જીવનના અંત સુધી તપ-ત્યાગવૈરાગ્ય આદિ વૃદ્ધિ પામતાં પરિણામને તેએશ્રીએ સાચવી જાણ્યાં. ધન્ય છે એ મહાત્માને ! શત શત વંદના એ મુનિવરને ! ( સ'કલન : પૂ. મુનિરાજશ્રી જિનસેનવિજયજી મહારાજ ) પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ : 6 સં. ૧૯૮૯ના મહા સુદ પાંચમ-વસ'તપ'ચમીને દિવસે જાવરા ( મધ્યપ્રદેશ )માં સુશ્રાવક મેરુલાલજી ઘાડીલાલનાં ધર્મ પત્ની પ્યારીબાઈની કૂખે બાળરત્ન શાંતિલાલના જન્મ થયા. · નામ તેવા ગુણ' પ્રમાણે શાંતિલાલે બચપણ પસાર કરીને આત્મશાંતિનિકેતન સ્વરૂપ શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળા ’ જાવરામાં જ્ઞાનપ્રાપ્તિનેા પ્રાર'ભ કર્યાં. ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં તેમના સસ્કારસપન્ન જીવનમાં વૈરાગ્યભાવ જાગ્યા અને ૧૪ વર્ષની વયે સૌધર્મ બૃહત્તપાગચ્છીય પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે સં. ૨૦૦૩ના મહા સુદ પાંચમને દિવસે ભૂતિ ( રાજસ્થાન )માં ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી નામે પ્રસિદ્ધ થયા. દીક્ષા બાદ તેમનુ' સ ́પૂર્ણ જીવન ગુરુ-આજ્ઞાપાલન—આગમ-અધ્યયન અને ધ્યાનયેાગપૂર્ણાંક નિર'તર વિહાર તેમ જ ધર્મીપ્રચારમાં લાગી ગયુ. તેમણે 'સ્કૃત, પ્રાકૃત, હિન્દી તેમ જ પ્રાંતીય ભાષાઓનું પણ સારું' એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ. તેમનું મુખ્ય ધ્યેય આગમનુ ચિંતન રહ્યું. તેથી જ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયયતીન્દ્રસૂરિજી મહારાજે ચતુર્વિધ શ્રીસંઘ વચ્ચે સમારોહપૂર્વક તેમને ‘ આગમજ્ઞાતા ' અને ‘ સાહિત્યપ્રેમી’ના ખરુદથી અલ'કૃત કરી શુભાશિષ આપ્યાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં પ્રવચનકળામાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરીને યશસ્વી અને તેજસ્વી જીવનનો સંકેત આપી દીધા. તેઓશ્રીએ પોતાના સંયમજીવનમાં શાસનપ્રભાવના, ગચ્છ-ઉન્નતિ, જનકલ્યાણ અને સાહિત્યસર્જન તથા શ્રમણ-શ્રમણીઓને જ્ઞાનપ્રદાનની સાથે સધમી ખ'આની આવશ્યક સહયાગી વૃત્તિ ઈત્યાદિ પુણ્યાનુબંધી સત્કાર્યો કરીને આત્મદ્ધાર પણ કર્યાં અને પરોપકાર પણ કર્યાં. તેમનાં શાસનપ્રભાવક કાર્યોની કેટલીક રૂપરેખા નીચે પ્રમાણે છે : , : શાસનપ્રભાવના : ૧. પાલીતાણામાં શ્રી રાજેન્દ્રવિહાર જૈન દાદાવાડી અને શ્રી આદિનાથ જિનાલયનું નિર્માણ, ૨. શ્રી રાજેન્દ્રસૂરી શ્રમણુ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના, ૩. જાલેાર ( રાજસ્થાન )માંથી રાજેન્દ્ર જૈન ઉપાશ્રયનું નિર્માણ, ૪. ભીનમાલ (રાજસ્થાન )માં ચતુર્મુખ જિનાલય અને ધર્મશાળાનુ નિર્માણ, પ. રાજગઢ ( મધ્યપ્રદેશ )માં યતીન્દ્રભવનના જીર્ણોદ્ધાર, ૬. જાવરા ( મધ્યપ્રદેશ )માં દાદાવાડીનુ નિર્માણુ અંજનશલાકા પ્રતિષ્ઠા : ૧. ભીનમાલમાં ચતુમુ ખ જિનાલય, ૨. સુરાણા ( રાજસ્થાન )માં શ્રી કુંથુનાથ જિનાલય, ૩. જોધપુરમાં અતિ પાર્શ્વનાથ જિનાલય અને ગુરુમદિર, ૪. સ`જીત ( મધ્યપ્રદેશ )માં Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy