SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા–ર મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ દીક્ષા અંગીકાર કર્યા પછી માત્ર ૧૩ વર્ષ બાદ, કેવળ ૨૮ વષૅની કામળ વયે આચાય પદવીથી વિભૂષિત કરવામાં આવે, એ એક અસાધારણ ઘટના કહેવાય. અને સાથેાસાથ ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંતમાંડ અને કવિરત્ન જેવી પ્રત્યેક ક્ષેત્રની મહાન પદવીએથી નવાજવામાં આવે એવી લબ્ધપ્રતિષ્ઠા મહામના વિભૂતિ માનવદેહ રૂપે ચમત્કાર જ ગણાય ! એ મહામના તે વાત્સલ્યવારિધિ સંઘનાયક પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. પહે સૌરાષ્ટ્રના એટાદ ગામે દશા શ્રીમાળી જૈન નરરત્ન શાહ હેમચંદભાઇનાં ધર્મ પત્ની શ્રીમતી જમનાબાઈની કુક્ષીએ સ. ૧૯૫૫ના કારતક સુદ ૧૧ના દિવસે એક પુત્રરત્નના જન્મ થયા. બાળકની વર્તમાન તેજસ્વિતા અને ભાવિના પુણ્યવતા સકેતા જોઇ ને નામ રાખવામાં આવ્યુ‘ નરોત્તમ. ઘરનું વાતાવરણ ધર્મ મય હતું. પરિણામે નરોત્તમે બાલ્યકાળમાં જ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ કઠસ્થ કરી લીધા. એમાં આ ધર્મવૃત્તિને પ્રોત્સાહિત કરે એવા બીજા મિત્રો પણ મળતા રહ્યા. આ મિત્રામાં ત્રણ તે સયમજીવનની ઝંખનાવાળા મળ્યા. ગુલાબચંદ, અમૃતલાલ અને લવજીભાઈ નામના એ ત્રણે મિત્રાએ સયમ સ્વીકારી ત્યાગમાગે આ. શ્રી વિજયઅમૃતસૂરિજી, આ શ્રી વિજયલાવણ્યસૂરિજી અને મુનિશ્રી ગુણવિજયજી નામે પ્રસિદ્ધ બન્યા. આ ચારે મિત્રાના હૃદયપરિવર્તન પાછળ પણ એક જ ગુરુદેવની શાસનસમ્રાટની પ્રેરણા કામ કરી રહી હતી. સ’. ૧૯૬૬માં શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું એટાદમાં આગમન થયુ. તેઓશ્રીનાં વ્યાખ્યાનેાથી લાકમાં અદ્ભુત ચેતનાનો સંચાર થયા. ગુરુદેવની રોચક વાણીથી અગણિત હૃદયમાં વૈરાગ્યની ભાવનાને ઉદય થયા; એમાં ઉપરોક્ત ચારે મિત્રા મુખ્ય હતા. સંયમ સ્વીકારવામાં કુટુંબની સ ંમતિ મળતી ન હતી. પરિણામે, સંસારથી–કુટુંબથી દૂર ભાગીને પણ દીક્ષા લેવાની દૃઢ મનેવૃત્તિ રાખી, પહેલાં નરાત્તમદાસ ભાગ્યા અને અમદાવાદ આવીને પૂજ્યશ્રીને સંયમ આપવા વિનંતી કરી. પરંતુ નાત્તમભાઈ ને એ શકય નહીં લાગતા એમના વિદ્વાન શિષ્ય પન્યાસશ્રી પ્રતાપવિજયજી પાસે જઈ ને સ'. ૧૯૭૦ના મહા સુદ બીજના વળાદ ( અમદાવાદ )માં ચારિત્ર લઈ ને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઉયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી, અને નરોત્તમભાઈમાંથી મુનિશ્રી ન ંદનવિજયજી બન્યા. માતાપિતા અને ભાઈ એના ધમપછાડા વચ્ચે તેઓશ્રી મેરુ સમાન અડગ રહ્યા. એ ચાતુર્માસ પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે કરી, પછી પેાતાના તારક ગુરુદેવનાં ચરણકમળમાં ઉપસ્થિત થયા અને તેઓશ્રીની અવિરત સેવામાં તન્મય રહેવા લાગ્યા. વિદ્યાભ્યાસ : ગુરુસેવા સાથે સાથે અધ્યયન-તપમાં પણ સતત મગ્ન રહેવા લાગ્યા. કાશીના પ્રકાંડ પંડિત શ્રી શશીનાથ ઞ પાસે ન્યાય, વેદાંત, દનના તલસ્પર્શી અભ્યાસ કર્યાં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy