________________
૫૯૨
શાસનપ્રભાવક
આ ગ્રંથમાં વિક્રમની વીસમી સદીના પૂજ્ય પ્રભાવક આચાર્યભગવંતના પરિચય સમુદાયવાર પ્રગટ કર્યા છે,
તે સિવાયના અન્ય સમુદાયના
પૂજ્ય આચાર્ય ભગવંતના પરિચય : પૂ. આ. શ્રી વિજ્યશાંતિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહિમાચલ સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિવેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસુબાહુસૂરીશ્વરજી મહારાજ
“જીવપ્રતિપાલક”, “જગદગુરુ, “સૂરિસમ્રાટ', “નેપાલ-રાજ્યગુરુ',
“હિઝ હોલિનેસ” આદિ બિરુદ પ્રાપ્ત કરનાર પૂ. આચાર્ય શ્રી વિજય શાંતિસૂરીશ્વરજી મહારાજ
અનુગાચાર્ય, વિશ્વશાંતિના ઉષક, પ્રશાંતમૂતિ, સંયમમાર્ગના સ્તંભ, પરમ આદરણીય ગીરાજ શ્રી વિજય શાંતિસૂરીશ્વરજી મહારાજને સંસારમાં કેણ નથી ઓળખતું ! પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૪પના મહા સુદ પાંચમે થયેલ હતું. તેમની જન્મભૂમિ રાજસ્થાનના તત્કાલીન રાજ્ય અને આજના સિરોહી જિલ્લામાં આવેલું મણાદર ગામ. રાયકા પરિવારમાં પિતા ભીમતેલાજી અને માતા વસુદેવીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો. બાળકનું નામ સતેજી રાખવામાં આવ્યું. સગતેજી બાળપણથી જ સૌને ખૂબ વહાલા હતા. પિતાને વ્યવસાય પશુપાલનને હતે. સગતેજી પણ ગાય-ભેંશ અને ઘેટાં-બકરાં સાથે જંગલમાં જવા લાગ્યા. અહી જાયેઅજાણ્યે સગતજીના અજ્ઞાત મન ઉપર કુદરતના સંસ્કારો પડવા માંડ્યા હતા. એવામાં એમના એક કાકા, જેમણે મુનિશ્રી ધર્મવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિશ્રી તીર્થવિજયજી મહારાજના નામે વિખ્યાત થયા હતા, તેમની પાસેથી વિરાગી જીવનની પ્રેરણા મળી અને આઠ વર્ષની કુમળી વયે સગતજી મુનિરાજ શ્રી તીર્થવિજ્યજી સાથે વિચરવા લાગ્યા. સોળ વર્ષની વયે સં. ૧૯૬૧ના મહા સુદ પાંચમના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org