SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શાસનપ્રભાવક અલબત્ત, સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલે આવ્યા. પાલીતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ, નવદીક્ષિતાને ચલિત કરવા માટે જેલની કોટડીમાં પૂરવામાં આવ્યા. ભૂખ્યા રખાયા; છતાં કોઈ નો નિશ્ચય ડગ્યા નહીં. છેવટે દરબારે વડીલાને તેમની ઇચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની રજા આપી. અંતે બે જણને વડીલેાની સંમતિ મળી. ત્રણને તેમના વડીલેા પાછા લઈ ગયા. હેમરાજભાઈને પાછા ફરવું પડયું. કારશીભાઈ અને બીજા એક મિત્ર દીક્ષામાં રહ્યા અને કરશીભાઈનું નામ પડ્યુ. કુશલચ દ્રજી. શ્રી હર્ષોંચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યુતિ આચાય હોવા છતાં શુદ્ધ સંવેગમાના પક્ષપાતી હતા. તેમની નિશ્રામાં શ્રી કુશલચંદ્રજી સ`વેગી દીક્ષા લઈ ને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા ગયા. સ. ૧૯૧૩ માં શ્રી હર્ષોંચ`દ્રસૂરિજીએ કાળ કર્યો ત્યાં સુધીમાં શ્રી કુશલચંદ્રજી એક સમર્થ મુનિ બની ચૂકયા હતા. હવે તેએશ્રી કાઠિયાવાડ-હાલારમાં વિરવા લાગ્યા હતા. આડંબરી, શિથિલાચારી, પરિગ્રહધારી યતિઓ-ગારજીએથી ધરાઇ ગયેલી જનતા શ્રી કુશલચંદ્રજી મહારાજના સરળ, શુદ્ધ સયમથી આકષઁઈ અને સવેગમાગ તરફ વળી. સમાજમાં પ્રવતી રહેલા કુરિવાજો, ધર્મવિરુદ્ધ આચાર-વિચારે તરફ શ્રી કુશલચંદ્રજી મહારાજે શ્રાવકોનુ ધ્યાન દો. તેમની ઉપદેશશૈલી સરળ, મધુર અને કરુણાસભર હતી. કાઠિયાવાડ, હાલાર અને કચ્છમાં ધાર્મિક જાગૃતિ લાવવા માટે તેએશ્રી સતત પ્રયાસ કરતા રહ્યા. જામનગરમાં તેમનાં કુલ ૧૭ ચાતુર્માસ થયાં હતાં, એ હકીકત એ પ્રદેશેામાં તેએશ્રી કેવા લોકપ્રિય હતા તેની નિશાની છે. પાછલાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં જ વિચરેલા. તેઓશ્રીનું જીવન ઋજુતા–સરળતાના આદ નમૂનારૂપ હતું. તપાગચ્છના તે સમયના સ ંવેગી પક્ષના ર'ધર મુનિરાજો—શ્રી મૂળચ ંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ વગેરે સાથે શ્રી કુશલચંદ્રજી મહારાજના પૂ મૈત્રીભાવ હતા. શ્રી દીપચદ્રજી વગેરે કુલ ૧૧ તેમના શિષ્યા હતા. સેંકડા સાધ્વીદીક્ષા તેમના હાથે થઈ. સ. ૧૯૬૯માં કડાયમાં તેમને સ્વર્ગવાસ થયા. ૬૩ વર્ષ જેટલા દીઘ દીક્ષાપર્યાય અને ૮૭ વર્ષ જેટલી ઉંમરમાં સઘન આરાધના, પ્રચુર લેાકેાપકાર અને શાસનની સંનિષ્ઠ સેવા દ્વારા તેમણે સાધુતાના ઉચ્ચ આદર્શ સિદ્ધ કરી દેખાડયો. એક ધ ક્રાંતિના પુરસ્કર્તા તરીકે જૈનશાસનના ઇતિહાસમાં તેમ જ પાચદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં શ્રી કુશળચ દ્રજી ગણિવરે ધ્રુવતારક સમુ' ચિર'જીવ સ્થાન મેળવી લીધુ છે. કેપિટ કેટિ વંદના હજ એ સમ સાવરને ! Jain Education International 2010_04 For Private & Personal Use Only तीर्थकर देवनी ધર્મ देशना સા समक्ष www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy