SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬o શાસનપ્રભાવક અચલગચ્છમાં ભળી ગયા. તેમણે અચલગચ્છની સમાચારી ઉપર “શતપદી” ગ્રંથ સં. ૧૨૬૩માં પ્રાકૃતમાં ર હતું, અને “ષિમંડલ પ્રકરણ” ઈત્યાદિ અનેક ગ્રંથ પણ રહ્યા હતા. ૪. શ્રી મહેન્દ્રસિંહસૂરિ તેઓશ્રીના ઉપદેશથી બાડમેર (કીરાડુ )ના આલ્હા શાહે દુષ્કાળમાં લાખ રૂપિયાનું દાન કર્યું. ત્યારથી આલ્હાના વંશજો વડું કામ કરવાથી “વડેરા” ગેત્ર તરીકે પ્રસિદ્ધ થયા. આ સૂરિજીની પ્રેરણાથી પિડા શાહે શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. સૂરિજીથી પ્રભાવિત થઈને મંત્રી વસ્તુપાલ તથા જાલેરને સંઘ પિતાના સંશયે દૂર કરવા કર્ણાવતી આવેલે. આ બધાના સંશય દૂર કર્યો. સૂરિજીને આગમ મુખપાઠ હતા. તેમણે પાલીતાણું ગચ્છના નાયક પુણ્યતિલકસૂરિને વાદમાં જીતી પોતાના શિષ્ય કર્યા, તેથી પુણ્યતિલકસૂરિએ પિતાના પરિવાર સાથે અચલગચ્છની સમાચારી સ્વીકારી. શ્રી મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય ભુવન, ગસૂરિ મંત્રવાદી અને પનાના ટીકાકાર હતા. મહેન્દ્રસિંહસૂરિ એ સંસ્કૃતમાં “શતપદી” ગ્રંથ, અષ્ટોત્તરી તીર્થ સ્તવ' ઇત્યાદિ ગ્રંથ રચ્યા. હતા. ૫. શ્રી સિંહપ્રભસૂરિ : તેઓશ્રીના સમયમાં વલ્લભી સમુદાયના અચલગચ્છીય પુણ્યતિલકસૂરિના ઉપદેશથી મુંજા શાહે ભારેલમાં નેમનાથ પ્રભુનું ૭૧ જિનાલય બંધાવ્યું. ૬. શ્રી અજિતસિંહસૂરિ : તેઓશ્રીના તપ અને ઉપદેશથી પ્રભાવિત જાલેરના રાજાએ પિતાના રાજ્યમાં થતી હિંસા બંધ કરાવી. આ સત્કાર્યથી લોકે રાજા કુમારપાળના સમયને યાદ કરતા. સૂરિજીની પ્રેરણાથી ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથ તીર્થનું નિર્માણ અને તેની પ્રતિષ્ઠા થઈ. ૭. શ્રી દેવેન્દ્રસિંહસૂરિ : તેઓશ્રીનાં પ્રભાવક પ્રવચનેના આકર્ષણથી અનેક આચાર્યો, ઉપાધ્યાય અને પંડિતથી આખી સભા ભરાઈ જતી. તેઓશ્રીની પ્રેરણાથી સિરોહી (રાજસ્થાન)નું મુખ્ય તીર્થરૂપ આદીશ્વર જિનાલય નિર્મિત થયું. ૮. શ્રી ધર્મપ્રભસૂરિ : તેઓશ્રી ઉગ્ર તપસ્વી હતા. સેળભે પહેરે એક ઠામે એક ટંક આહારપાણી વાપરતા. અપ્રમત્ત સંયમી હોઈ તેમનું બીજું નામ “પ્રજ્ઞાતિલકસૂરિ” હતું. તેમના દ્વારા રચિત પ્રાકૃત “કાલકકથા” પર વિદેશી વિદ્વાનોએ પણ ખૂબ રસ લીધે છે. આ કથા વિદેશમાં પણ પ્રસિદ્ધ થઈ છે. જુઓ “કાલકાચાર્ય કથાસંગ્રહ ૯ શ્રી સિંહતિલકસૂરિ : તેઓશ્રી પ્રખર વાદી અને અનેક ગ્રથના નિર્માતા હતા. ૧૦. શ્રી મહેનદ્રપ્રભસૂરિ : તેઓશ્રીએ શાસન અને ગચ્છની ઉન્નતિ માટે છ માસ આયંબિલ કર્યા. એક લાખ સૂરિમંત્રને જાપ કર્યો. આથી ચકકેશ્વરી દેવીએ વરદાન આપ્યું અને ત્યારથી ગચ્છના પ્રસારમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. પરિણામે, ધર્મતિલકસૂરિ, સેમતિલકસૂરિ, મુનિશેખરસૂરિ, મુનિચંદ્રસૂરિ, અભયતિલકસૂરિ, જયશેખરસૂરિ, મેરૂતુંગસૂરિ ઈત્યાદિ પ્રભાવક આચાર્યાદિ ૫૦૦ શિષ્યથી ગચ્છ શોભવા લાગ્યા. તેમના શિષ્ય કવિ-ચક્રવતી શ્રી જયશેખરસૂરિ પ્રકાંડ પંડિત હતા. ગૂર્જર ભાષાની સમૃદ્ધિમાં તેમને ફાળે અસાધારણ છે, જેની પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ નોંધ લીધી છે. જયશેખરસૂરિની “જેન કુમારસંભવ મહાકાવ્ય”, “ઉપદેશ ચિંતામણિ” (પ્રાકૃત) આદિ ૫૦ કૃતિઓ પ્રાપ્ત થાય છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીના ઉપદેશથી અને શાખાચાર્ય અભયસિંહસૂરિની પ્રેરણાથી શ્રી ગેડી પાર્શ્વનાથ તીર્થનું નિર્માણ અને પ્રતિષ્ઠા થયાં. ૧૧. શ્રી મેલ્ડંગસૂરિ : તેઓશ્રી સં. ૧૪૧૦માં આચાર્યશ્રી મહેન્દ્રસૂરિના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy