SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા-૨ પ૩ અમદાવાદના ઐતિહાસિક મુનિસ`મેલનમાં તેઓશ્રીની સૂઝ-સમજણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ સિદ્ધિથી એમને કીતિ કળશ સર્વોચ્ચ ટોચે ઝળકયો હતા. આટ—આટલી કીર્તિ, પ્રતિષ્ઠા, માન-સન્માન હોવા છતાં પુજ્યશ્રી અંતરથી સાવ નિ:સ્પૃહી હતા. સમયે સમયે રાજા-મહારાજાએ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરાતી ભેટ, સાધુજીવનને શેલે તેમ, સ્વીકારતા નહી. સ. ૧૯૬૬માં ક`ગિરિમાં અનેક દરખાને હિંસા, ચારી, વ્યસન આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબારો તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેનો સ્વીકાર કર્યાં નહીં! પૂજ્યશ્રી માત્ર ધર્માંશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર રહેતા અને તે કાયમ સાંગેાપાંગ પાર ઉતારતા. આમ, જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જૈનશાસનના ઇતિહાસમાં ' શાસનસમ્રાટ તરીકે અમર થાય એમાં શી નવાઈ ! ( સંકલન : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ ) શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં માનવીની હરોળમાં આવે એવુ કોઈ પ્રાણી નથી. દેવે પુણ્યબળે માનવીથી ચિઢયાતા હશે; પરંતુ આત્મશુદ્ધિ કરીને મુક્તિસુખને ઉપલબ્ધ કરી શકવાની સ્થિતિ અને શક્તિ ધરાવવાની ભાગ્યરેખા તે માનવીના લલાટે જ હોય છે ! સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે ‘ તએ ઠાણાંઇ દેવે પીડેજા; માણુસ્સગ ભવ, આરિયખેતે જમ્મુ, સુકુલ પચ્ચા યા.’–એવા માનવ ઉત્કૃષ્ટ ધ જીવન જીવીને મહામાનવ બની જતા હોય છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનુ છે. એમાં પંચાવન લાખ, પ`ચાવન હજાર, પાંચા ને પચાસ જેટલાં શાસ્ત્ર-સિદ્ધાંતને વફાદાર રહીને શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલા શાસન દ્વારા એક માત્ર મેાક્ષમાના ઉપદેશ આપનારા સુવિહિત આચાર્ય મહારાજાએ થનારા છે. આવા આંકડાઓ રામહ ક હોય છે; એના કરતાં ય વિશેષ એવા શાસનપ્રભાવક પૂજ્યવરોનાં દન થાય છે ત્યારે એ ઘટના વધુ હÖમય અને પ્રભાવક બને છે ! આવી રોમાંચકારી ઘટના તે નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામય સમથ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઢનસૂરીશ્વરજી મહારાજ, ( પૂજ્યશ્રીનો જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયા હતા. સ. ૧૯૪૩ના પોષ સુદ ૧૫ ને મ’ગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નને જન્મ થયા. પોષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા-પછી Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy