SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક રહેતાં ધર્મપ્રેરણા મેળવી વ્રત, પચ્ચક્ખાણ, સામાયિક, પૌષધમાં જોડાવા લાગ્યા. સં. ૧૯૮૦માં સુરત–ોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજ પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને સં. ૧૯૮૪ના મહા વદ ૩ના શ્રી શત્રુંજ્યાવતાર-કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. ત્યાર બાદ, પૂ. શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મહારાજ પાસે વૈયાવચ્ચ-ભક્તિ કરતાં આગમસૂત્રનું વાચન કર્યું. પૂ. પં. શ્રી કીતિ મુનિજી મહારાજ તથા પૂ. પં. શ્રી હરમુનિજી મહારાજ તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ પાસે ગદ્વહન કર્યા. સં. ૨૦૧૨માં સુરત વડા ચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પંન્યાસપદવી થઈ. સં. ૨૦૧૮માં મુંબઈ-લાલબાગ ચોમાસું કરી પૂ. શ્રી મોહનલાલજી સ્મૃતિગ્રંથ પ્રગટ કરાવ્યું. સં. ૨૦૨૨ના ચૈત્ર વદ ને તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ આદિ પાંચ આચાર્યોની નિશ્રામાં આચાર્યપદવી થઈ અને સમેતશિખરજીના તથા કલકત્તાથી પાલીતાણાના સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાનતપની ઓળીઓ ચાલુ રાખી ૧૧૦ એળી સુધી પહોંચ્યા. અંતિમ પણ ચેવિહાર ચાર ઉપવાસ કરી સં. ૨૦૩૦ના ફાગણ વદ બીજ ને બુધવાર તા. ૩૦-૩-૮૩માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વર્ધમાનતપના આરાધક, ઉગ્રવિહારી, તપસ્વી સૂરિ દેવને કેટિશઃ વંદના ! ( સંકલન: પૂ. શ્રી ચિદાનંદસૂરિજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી કીર્તિસેનમુનિજી મહારાજ ) સમતા, સમભાવ અને સમકિતભાવને સ્વજીવનમાં મૂર્તિમંત બનાવનારા પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જૈનમ એટલે તપ-ત્યાગને માર્ગ અર્થાત્ સુખના ત્યાગને અને દુઃખના સ્વીકારને માર્ગ. માર્ગ સાચે છે, પણ સરળ નથી; કઠિન છે. એ કઠિન માર્ગને ઉપાય છે સમતા. પરંતુ એ તો એનાથી યે વધુ કઠિન-દુષ્કર છે. દુષ્કર છે, પણ એ જ સાચો માર્ગ છે. અને એને કઈ વિરલા જ સાર્થક કરી જાણે છે. આવા વિરલ આત્મામાં એક છે, પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ કુટુંબીજનના અઢાર સભ્યોમાંથી સત્તર સભ્ય માત્ર દોઢ વર્ષના સમયગાળામાં સ્વર્ગવાસ પામ્યા. જાણે આઘાત ઉપર આઘાતની પરંપરા ચાલી. ત્યારે તેમની ઉંમર ૨૩ વર્ષની હતી. એ અસહ્ય આઘાત વચ્ચે પણ સમતાભાવ ટકાવી રાખે એમાંથી દિવ્ય એવો સમકિતભાવ-વૈરાગ્યભાવને પ્રાદુર્ભાવ થયે. મધ્ય પ્રદેશના માલવાનું રૂણીજા ગામ તેઓશ્રીની જન્મભૂમિ. સં. ૧૯૬ના મહા સુદ પને દિવસે જન્મ થયે. પિતાનું નામ કેશરીમલજી, માતાનું નામ સુંદરીબાઈ અને તેમનું સંસારીનામ વસંતીલાલજી. પિતાજી પ્રતાપગઢ સ્ટેટના દીવાન હતા. સુખસાહ્યબી અને સંસ્કાર-સિંચન સાથે વસંતીલાલજીને ઉછેર થયો. કુમાર અવસ્થા અને યુવા અવસ્થાના પ્રારંભ સુધી કુટુંબના વિશાળ વડલાની છાયા નીચે સુખચેનમાં મહાલતા રહ્યા; દુઃખને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy