SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-ર ४१५ પણ બની રહ્યાં છે. જેનશાસનમાં વિક્રમની ૨૧મી સદીનું યાદગાર ભેટશું–સંભારણું બની રહે તેવી આ અભૂતપૂર્વ યોજના છે. આ મહાપ્રાસાદની પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમના શુભ દિવસે થઈ. અગિયાર દિવસને ભવ્ય મહોત્સવ ઊજવા. સવા લાખની માનવમેદનીએ આ પાવન પ્રસંગને લાભ લીધે. ઇતિહાસમાં આવી ભવ્ય અને સુવ્યવસ્થિત પ્રતિષ્ઠા છેલ્લાં ઘણાં વર્ષોમાં થઈ નથી. આ મંગલ કાર્યમાં પણ પૂજ્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વનાં દર્શન થતાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૨૦૪૪ના ચિત્ર માસમાં રાજનગર–અમદાવાદમાં પંકજ સેસાયટીના ઉપાશ્રયે થયેલા શ્રમણ સંમેલનમાં પણ આગેવાનીભર્યો ભાગ લીધે હતે. વર્ષોથી ચાલતા પર્વતિથિના ઝગડાઓને તાત્કાલિક ઉકેલ લાવવા જરૂરી હતું. કાયમી એકતા સધાય તે અત્યંત આવશ્યક હતું. પ્રવસમિતિની આ બેઠકમાં પણ પૂજ્યશ્રીએ આ યક્ષપ્રશ્નને સર્વમાન્ય ઉકેલ લાવવામાં ઘણી મહેનત લીધી હતી. આજે પણ પિતાની પ્રચંડ પ્રતિભા અને પનેતા પુણ્યાઈથી શાસનને અને સમુદાયને શોભાવી રહ્યા છે. પૂજ્યશ્રીના અનેક શિષ્ય-પ્રશિષ્ય શાસનપ્રભાવના કરતા વિચરી રહ્યા છે, જેમાં શિષ્ય – મુનિશ્રી કમલવિજયજી, સ્વ. મુનિશ્રી મુક્તિવિજયજી, મુનિશ્રી પદ્મવિયજી, મુનિશ્રી ઉત્તમવિજયજી, મુનિશ્રી ચંદ્રસેનવિજ્યજી ગણિ, મુનિશ્રી રત્નશેખરવિજયજી તથા પ્રશિષ્ય – મુનિશ્રી પ્રકાશવિજ્યજી, મુનિશ્રી મહાનંદવિજયજી, મુનિશ્રી મનમેહનવિજયજી, મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી, મુનિશ્રી દેવચંદ્રવિજયજી, મુનિશ્રી હેમચંદ્રવિજ્યજી, મુનિશ્રી કુલચંદ્રવિજયજી, મુનિશ્રી અભયચંદ્રવિજયજી, મુનિશ્રી અણમોલરત્નવિજયજી વગેરે છે. એવા પ્રશાંતમૂતિ કૃપાવતાર આચાર્યભગવંતને કેટ કેટિ વંદન હો ! (સંકલન : પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મહારાજ) દક્ષાબેધદાતા, સુસંયમ સાધનિકચિત્ત, ક્રિયાક્ષ, યોગદહનનિપુણ, સારણદિ પ્રેરણા પ્રવીણ અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ગગનમંડળમાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓ ઘણું છે. એ સહુ પિતાપિતાની વિશિષ્ટતાઓ ધરાવે છે. ચંદ્ર પણ પ્રશસ્ય છે. મંગળ પણ મનમેહન છે, શુક પણ આકર્ષક છે. બગીચામાં ફલે ઘણાં હોય છે, પણ પ્રત્યેકને પિતાની વિશેષતા હોય છે. ગુલાબની જેમ જ જાઈ, જૂઈ કે મગરે પિતાપિતાનું મહત્ત્વ ધરાવે છે. રંગોળીના સાતેય રંગમાં કેઈ રંગ એકબીજાથી ઊતરતે હેતું નથી. પ્રત્યેક પિતાને સ્થાને વિશિષ્ટ છે. એવી જ રીતે, પૂ. તનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પણ પિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી શાસનને પિતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવલડી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી વિજયસુબોધસૂરી શ્ર. ૫૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy