SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શાસનપ્રભાવક ચારિત્ર લેવાની ભાવના વ્યક્ત કરી. પૂજ્ગ્યાએ સંગ્રામસિંહમાં તીવ્ર વૈરાગ્ય જોઇ પ્રવજ્યાના દિવસ નક્કી કર્યાં. સંગ્રામસિંહનાં સગૃહસ્થા દ્વારા જાહેર સન્માન થયાં. સ ંગ્રામસિ ંહે સંયમજીવનના ગુણગાનથી જૈન જૈનેતાને મંત્રમુગ્ધ કર્યાં. અને ચતુર્વિધ શ્રીસ ંઘના શુભ આશીર્વાદ મેળવી સંસારી અવસ્થાની છેલ્લી રાત્રિ સયમ પાળવાના આન ંદની ઊમિએ વચ્ચે પસાર કરી. સ. ૧૯૮૮ના પોષ વદ પાંચમના સુવણુ દિવસે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિભાવપૂર્વક સ્નાત્રપૂજા સહિત છેલ્લી દ્રવ્યપૂજા કરી, મહાભાગ્યશાળી સંગ્રામસિંહે ૧૮ વર્ષની ભરયુવાનીમાં મંગલમય ચારિત્રરત્નની ભવ્ય સાધના કરવા ઉજમાળ બન્યા; અને પેાતાના સંસારીખ મુનિવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી સુદર્શનવિજયજી અન્યા. સ. ૧૯૮૮ના મહા સુદ ને દિવસે રાધનપુર મુકામે વડી દીક્ષા થઈ. ગુરુનિશ્રામાં રહીને જ્ઞાન-ધ્યાન, તપની સાધના –આરાધના કરીને વિશેષ યાગ્યતા પ્રાપ્ત કરતા રહ્યા. પૂજ્યશ્રીની પ્રભાવક શાસનપ્રભાવનાને લક્ષમાં લઈ પૂ. ગુરુભગવ'તાએ તેએશ્રીને સ. ૨૦૧૩ના કારતક વદ પાંચમે પોરબદર મુકામે ગણિપદ, સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ૯ને દિવસે કચ્છના વાંકી ગામે પન્યાસપત્ત અને સ. ૨૦૨૯ના માગશર સુદ ખીજને દિવસે શ્રીપાલનગર–મુંબઇમાં આચાર્ય પદથી અલંકૃત કર્યાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી છે. જ્ઞાન, તપ અને સંયમના ત્રિવેણીસ’ગમ તેઓશ્રીના પ્રત્યેક કા'માં દીપી ઊઠે છે. પૂજ્યશ્રીના આચાર્ય પદ્મ–પ્રદાન પ્રસ ંગે પન્યાસ શ્રી સુદ નવજયજી મહારાજની પ્રેરણાથી સ્વામિવાત્સલ્ય થયું. તેમાં ૧૫ હજારથી વધુ આત્માઓએ જમવાના લાભ લીધે। હતા, ત્યારે બીજા સંદ્યા પણ વિચારમાં પડી ગયા હતા. ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર પૂજ્યશ્રી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, માળવા આદિ પ્રદેશમાં વિચર્યા. મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ, અહમદનગર આદિ નગરોમાં ધર્માંની યાદગાર પ્રભાવનાઓ થઈ. સ. ૨૦૧૨માં મહારાષ્ટ્રમાં ધર્માંના દ્વાર સમુ કરાડ શહેર છે, તેમાં ચાતુર્માસ રહી સંઘમાં એકતા કરી અને જિનાલયા, ઉપાશ્રયા, ધર્મશાળાઓનાં નિર્માણ તથા જીર્ણોદ્ધાર માટે સફળ અભિયાને ચલાવ્યાં. તપશ્ચર્યાએ પણ ઘણા ઘણા પ્રકારની થઈ. તેમાં આયંબિલ તપની એળીના પાયામાં ૬૦, શ ́ખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ તપમાં ૩૫૦; ચંદનબાળાના અરૂમમાં ૫૧, ગૌતમ સ્વામીના છઠ્ઠું ૨૦૦, અરિહંત ભગવંતના પદની આરાધના ખીરનાં એકાસણાં સાથે ૪૦૦, માસક્ષમણુ ૯, ૪૫ ઉપવાસ ૧, સિદ્ધિતપ ૩, ઉપવાસ ૧૯, ૧૧ ઉપવાસ ૨૧, ૧૦ ઉપવાસ ૩૫, અઠ્ઠઈ એ ૨૨૫ વગેરે તપશ્ચર્યાએ છેલ્લાં સેા વર્ષોમાં ન થઈ હોય એવી ગઈ. પૂજ્યશ્રીની નિશ્રામાં અને પ્રેરણાથી મધ્યપ્રદેશ, માળવા આદિ પ્રદેશમાં પણ જિનાલયા, ઘર દેરાસરો, પાઠશાળાઓ, તપશ્ચર્યા, મહાન અંજનશલાકાપ્રતિષ્ઠાએ, ઉપધાન, છ'રી પાલિત યાત્રાસ ઘા, સાધર્મિક ભક્તિ, જીવદયા આદિ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો સુસ'પન્ન થયાં. તેમાં માલવા દેશમાં અનેક સકંટા વેકીને શાસનપ્રભાવના કરી, તેથી ત્યાંના જૈનસમાજે, ખાસ કરીને સ્થાનકવાસી આગેવાનાએ તેઓશ્રીને માલવદેશે સહે` સંરક્ષક 'નુ સન્માનપૂર્ણ અરુદ આપ્યું. પ્રભાવક પ્રવચનકાર, · યશેાધરચરિત્ર’ જેવા સાંસ્કૃત ગ્રંથાના લેખક, અપ્રમત્ત શાસનસેવી સાધુવર આજે ૬૦ વર્ષોં ઉપરના સુદીર્ઘ દીક્ષાપર્યાંય સાથે અવિરામ શાસનપ્રભાવના કરી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ઘાયુ બન્ને એવી અભ્યર્થના અને પૂ. ગુરુદેવશ્રીનાં ચરણામાં વંદના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy