________________
30
શાસનપ્રભાવક
સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૂતિ, સિદ્ધાંતમહોદધિ
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ક્ર જન્મ : વિ. સં. ૧૯૪૦ ફાગણ સુદ ૧૫, નાદિયા તીર્થ & વતન : પિંડવાડા, કર્મભૂમિ : વ્યારા. * દીક્ષા : સં. ૧૯૪૭ કારતક વદ ૬, પાલીતાણા. % ગણિપદ : સં. ૧૯૭૬ ફાગણ વદ ૬, ડભેઈ. & પંન્યાસપદ : સં. ૧૯૮૧ ફાગણ વદ ૬, અમદાવાદ, શ ઉપાધ્યાયપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, મુંબઈ * આચાર્યપદ : સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. * સ્વર્ગવાસ : સં. ૨૦૧૪ વૈશાખ વદ ૧૧, ખંભાત.
આકાશમાં સૂર્યોદય થતાં જ કમળો વિકવર થાય છે, તેવી જ રીતે, જૈનશાસનમાં તીર્થકર ભગવંતે તથા આચાર્યદેવને ઉદય થતાં ભવ્યાત્માઓ રૂપી કમળ વિકસ્વર થાય છે. તે ભવ્ય કમળને વિકસ્વર કરનાર, ચરિત્રના પ્રકાશને વિશ્વમાં પાથરનાર, વિક્રમની વીસમી સદીના ઉત્તરાર્ધ અને એકવીસમી સદીના પ્રારંભમાં ઊગેલ એ સૂર્ય એટલે સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, ભગવાન મહાવીર પરમાત્માની હયાતીમાં તેમના ભાઈ નંદિવર્ધને ભરાવેલ પ્રભુ મહાવીરનાં પ્રતિમાજી જીવતસ્વામી તરીકે આજે પણ રાજસ્થાનના નાંદિયા તીર્થમાં બિરાજમાન છે. આવા મહાન તીર્થમાં પિંડવાડા (જિ. શિરોહી)ના સંગ્રહસ્થ ભગવાનભાઈનાં શીલસંપન્ન ધર્મપત્ની કંકુબાઈની કુક્ષિએ એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ પ્રેમચંદ સ્થાપન થયું. એ સમયને અનુરૂપ વ્યાવહારિક શિક્ષણ લઈને તેઓ વ્યવસાયાર્થે ગુજરાતમાં વ્યારા (જિ. સુરત ) મુકામે આવ્યા. ગામમાં વિહારમાં આવતા-જતા મુનિમહારાજની સેવા કરતાં પ્રેમચંદજીને વયં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. એક વાર વ્યારાથી નીકળી રેલવેમાં બેસી ગયા, પણ ખબર પડતાં જ મેહાધીન સંબંધીઓ તેમને પાછા લઈ ગયા. થોડા દિવસમાં ફરી તક મળતાં વ્યારાથી સવારે ચાલવા માંડયું. ૩૬ માઈલ (લગભગ ૫૭ કિ. મી.) પગપાળા ચાલીને સાંજે સુરત પહોંચ્યા. ત્યાંથી વાહન દ્વારા પાલીતાણા પહોંચ્યા. પૂ. ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રા સ્વીકારી. સંયમયે તાલીમ લીધી. ચાતુર્માસ પૂર્ણ થયે સં. ૧૯૫૭ના કારતક વદ દિને શુભ દિવસે અનંત સિદ્ધોથી પવિત્ર થયેલ શત્રુંજય મહાગિરિની તળેટીમાં, અન્ય ચાર મુમુક્ષુઓ સાથે ૫. ઉપાધ્યાયજી મહારાજના શુભ હસ્તે ચારિત્રને પામી મુનિશ્રી દાનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજ્યજી બન્યા. પૂર્વભવની સાધનાના બળે નિર્મળ ચારિત્રના સંસ્કાર હતા જ, તેમાં ઉત્તમ ગુરુદેવેને વેગ મળતાં સંયમની સાધના પ્રબળ બનવા માંડી. પ્રથમ વિનય ગુણની સાધનામાં ગુરુની ઇચ્છાને પિતાની ઈચ્છા બનાવી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org