SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-ર ૩૦૩ પાવન છત્રછાયામાં તેમને જન્મ થયે હતું. કેશવજીનું વતન બોટાદ પાસેનું પાળિયાદ ગામ, અને મોસાળ પાલીતાણું હતું. પિતાનું નામ માધવજી નાગજી અને માતાનું નામ પાનબાઈ હતું. જ્ઞાતિએ વિસા શ્રીમાળી અને વ્યવસાયે વેપારી હતા. પાલીતાણામાં જન્મેલા કેશવજીએ ત્રીજા ઘોરણ સુધી અભ્યાસ પાલીતાણામાં જ ક્ય. સં. ૧૯૪૦માં કુટુંબ વઢવાણ કેમ્પ રહેવા આવ્યું. ત્યાં કેશવજીએ આગળ વધી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પરંતુ આ દરમિયાન એક અતિ આઘાતજનક બનાવ બન્ય. ત્રણ દિવસના અંતરે માતા અને પિતાના અવસાન થયાં. આ કારમા આઘાતથી કેશવભાઈનું મન સંસાર પરથી ઊઠી ગયું. એવામાં વડોદરા મુકામે પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને ભાઈ કેશવજીની વૈરાગ્યભાવના દઢ બની. સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમણે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી કેશરવિજ્યજી મહારાજ ગુરુચરણે બેસી ગયા. વિદ્યાભ્યાસ અને જપ-તપમાં નિમગ્ન બની ગયા. વડોદરા અને સુરતની સ્થિરતા દરમિયાન અનેક શાને ઊંડે અભ્યાસ કર્યો. પછી તેઓશ્રીનું મન યોગ તરફ વળ્યું. તે રુચિ જીવનભર ટકી રહી. જીવનના છેલ્લા શ્વાસ સુધી યેગ, ધ્યાન અને અષ્ટાંગયેગના સાધક બની રહ્યા. ગપ્રાપ્તિ માટે તેઓશ્રીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પૂજ્યશ્રીના સાધક જીવનમાં ૐકારને જાપ સતત ચાલતે. ૩ૐકાર જાપ માટે પૂજ્યશ્રી સૌને આગ્રહ પણ કરતા. ધર્મશા અને વિદ્યાના વિશાળ અને ગ્રહન જ્ઞાનના પરિપાક રૂપે પૂજ્યશ્રી પાસેથી ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં યેગશાસ્ત્ર, જ્ઞાનદીપિકા, સમ્યક્દર્શન, ગૃહસ્થ ધર્મ, નીતિમય જીવન, આત્માને વિકાસક્રમ, મહામહને પરાજ્ય, મલયસુંદરીચરિત્ર, પ્રભુ મહાવીર તવપ્રકાશ, આત્મવિશુદ્ધિ વગેરે મુખ્ય છે. પૂજ્યશ્રીને સં. ૧૯૬૩માં સુરત મુકામે ગણિપદવી અપાઈ સં. ૧૯૭૪માં મુંબઈમાં પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પરંતુ ત્યાર બાદ પૂ. ગુરુદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ થતાં તેઓશ્રી પર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. ત્યારથી તેઓશ્રીની રાજગ જાણવાની ઇચ્છા દબાઈ ગઈ. પિતાના સમુદાયનું બંધારણ ઘડવા વઢવાણમાં સંમેલન યેર્યું. પૂજ્યશ્રીની વિદ્વત્તા, વસ્તૃત્વ અને યોગસિદ્ધિને ઘણે પ્રભાવ પડવા લાગે. અનેક ભવ્યાત્માઓ તેઓશ્રીના વરદ હસ્તે સંયમમાગે સંચર્યા. જેને જ નહિ પણ પારસી, મુસલમાન, મચી આદિ કેમના માણસે પર પણ તેઓશ્રીએ ઘણે જ પ્રભાવ પાથર્યો. પૂજ્યશ્રીની ચપાસ વધતી પ્રભાવનાને લક્ષમાં લઈ સં. ૧૯૮૩ના કારતક વદ ૬ને શુભ દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયે. સં. ૧૯૮૫માં વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરીને પૂજ્યશ્રી તારંગાઇ ગયા. ત્યાં ગુફામાં ધ્યાનાવસ્થામાં હતા ત્યાં જ શરદીના ભયંકર હુમલાથી હૃદય પર અસર થઈ અને તેઓશ્રીને અમદાવાદ લાવવામાં આવ્યા. અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં રાખવામાં આવ્યા. કેન્સર જાહેર થતાં ઉપચાર શરૂ થયા. શ્રાવણ વદ પાંચમે પૂજ્યશ્રીએ અન્નજળને ત્યાગ કર્યો અને સ્કાર મંત્રના સતત જાપ સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન વખતે, વાર્તાલાપ વખતે, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy