SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સીરચંદે સાપ કાંચળી ઉતારે તેમ સ'સારના સ્નેહસંબધાનો ત્યાગ કરી સંયમજીવનના સ્વીકાર કર્યાં. ભાઇ સીરચંદ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. થાડા સમય બાદ નાનાભાઈ રૂપચંદને પણ સયમપંથે વાળી દીક્ષા આપી, તેમને મુનિશ્રી રવિવિજયજી નામે ઘાષિત કર્યા. શાસનપ્રભાવક પૂર્વીની પ્રબળ આરાધના, ગુરુજનાની સેવા અને જ્ઞાનધ્યાનની અપૂર્વ લગનથી ઘણા ટૂંકા સમયમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને જુદાં જુદાં શાસ્ત્રોના અધ્યયન સાથે, ધાર્મિક તત્ત્વજ્ઞાનનું તલસ્પશી જ્ઞાન પ્રાપ્ત કરી, જૈનસમાજમાં એક તપસ્વી મુનિ રૂપે શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની ઉત્કૃષ્ટ પ્રતિભા જોતાં, પૂ. ગુરુદેવશ્રીએ અનેક શહેરોના સઘેાની આગ્રહભરી વિન`તિથી ડહેલાના ઉપાશ્રય મળ્યે ખૂબ જ ધામધૂમથી, શહેરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરવા યોગ્ય મત્સવપૂર્ણાંક પંન્યાસપદથી વિભૂષિત કર્યાં. પન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજીએ પોતાની અનોખી પ્રતિભાના પ્રભાવે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશમાં વિચરીને અને ધાર્મિક કાર્યોના પ્રસારથી અનેક મુમુક્ષુઓને સયમી બનાવીને જૈનસમાજમાં નામાંકિત અને તપ-ત્યાગ તથા જ્ઞાન–ધ્યાનની સમૃદ્ધિથી સમૃદ્ધ સમુદાયની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પૂ. પંન્યાસજી મહારાજે સંયમી જીવનની સાધનાને કેન્દ્રબિંદુ બનાવવા સાથે પોતાના ષ્ટિબિંદુથી સમાજસુધારાનાં કાર્યોં તરફ પણ ઘણું લક્ષ આપ્યું હતું. પરિણામે પેાતાની જન્મભૂમિ કુવાળામાં અજ્ઞાનતાને લીધે વર્ષોથી કન્યાવિક્રય આદિ સામાજિક દૂષણા હતાં તે નાબૂદ થયાં. આ કાર્યાં માટે ભગીરથ પ્રયત્નો કરી બનાસકાંઠા જિલ્લામાં જૈનસમાજને સ`ગત કરવાના મહાન પુરુષાર્થ કર્યાં. સમાજહિતચિંતક, શાસનપ્રભાવક પૂજ્ય પંન્યાસજીએ અનેક ગામ-નગરાના શ્રીસ ધાએ આચાર્ય પદ ગ્રહણ કરવાની આગ્રહભરી વિન ́તિઓને ઘણી વાર અસ્વીકાર કર્યાં. આખરે અત્યંત આગ્રહ થવાથી વિ. સ. ૧૯૯૯ના વર્ષમાં શ્રી ગિરનાર મહાતીમાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસ`ઘની આગેવાની નીચે, અનેક શ્રીસંઘાએ યેાજેલા અપૂર્વ આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ભવ્ય સમારેાહપૂર્વક પન્યાસપ્રવર શ્રી સત્યવિજયજી ગણિવરની પાટ-પર'પરામાં પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરવાનું આદશ ગૌરવ પ્રાપ્ત કર્યુ અનેક સ્થાનામાં મદિરાનુ* નવનિર્માણ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, ધશાળાના નિર્માણમાં અને ઉજમાં, પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાન તપની આરાધના આદિ શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યમાં પૂજ્યશ્રીની પ્રભાવપૂર્ણ ધર્માંદેશનાનુ અમૃતપાન કરવાપૂર્વક ભાવિકાએ લાખા રૂપિયાનુ દાન કરી જિનશાસનની સેવા કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પાછલી અવસ્થામાં પૂ. આચાય ભગવતશ્રીને એકાએક ક્રમના વ્યાધિ થયા. તનની અસમાધિ વધવા છતાં મનની સ્થિર સમાધિએ આત્મસાધનાના ઉજ્જ્વળ પંથે અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. વિશાળ શિષ્યપરિવાર, અનેક શ્રીસંધા અને અન્ય આત્મીયવને હિતશિક્ષાના આદર્શો ખાધ દેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬ના કાર્તિક વદ ૪ની મધ્યરાત્રિએ ડહેલાના ઉપાશ્રયમાં પ ચપરમેષ્ઠિ મહામંત્રના સ્મરણુ સાથે સ્વગે` સિધાવ્યા. કાતિક વદ પાંચમના દિવસે પૂજ્યશ્રીને શાકસંતપ્ત હૃદયે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ રૂપે, શહેરના ઇતિહાસમાં એક ભવ્ય પ્રકરણ રૂપ સ્મશાનયાત્રા નીકળી. પૂજ્યશ્રીના પંચભૂતનો દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયા. દ્વિવ્ય સાધનાને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy