SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ • જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ' ૫૮ શાસ્ત્રગ્રંથાના સર્જક-સંપાદક જૈનશાસનના મહાન જ્યોતિ ર પૂ. આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ મહાન ધર્માંધુર ંધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અાણ્યું હશે ! પૂજ્ય સૂરીશ્વરજી પોતાની તપશ્ચર્યાથી, અપ્રતિમ શાસનરાગથી, અસાધારણ વિદ્વત્તાથી, હૃદયંગમ વાકૌશલથી, રસમધુર કવિત્વશક્તિથી, વત્સલ પ્રકૃતિથી અને સુદ્રી સંયમપર્યાયથી જૈન-જૈનેતર સમાજમાં આદરણીય સ્થાન પામ્યા હતા. તેમ જ પેાતાના સ'પાદિત કરેલા વિદ્વત્તાપૂર્ણ શાસ્ત્રગ્રંથોથી વિદ્રમાં પણ અત્યંત પ્રતિષ્ઠા પામ્યા હતા. તેઓશ્રીના જન્મ ઉત્તર ગુજરાતમાં ભાયણીજીતીની નજીક આવેલા મલશાસન નામના નાનકડા ગામમાં થયા હતા. પિતા પીતાંબરદાસ અને માતા મેાતીબહેનને ત્યાં સ. ૧૯૪૦ના પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે અવતર્યાં. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સસ્કારો અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીઓના સહવાસને લીધે લાલચક્રમાં વૈરાગ્યભાવ જાગ્યા હતા. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવાએ પ્રખાધેલા માર્ગ જ સ'સારની માયામાંથી મુક્તિ અપાવવા સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વયે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિવિજયજી નામે ઘોષિત થયા. શાસનપ્રભાવક , દીક્ષા ગ્રહણ કરીને ‘હિરના મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને એ સનાતન વચનને સાČ કરી ખતાવ્યું. સતત સ્વાધ્યાયપરાયણતા, અપૂર્વ ઉત્સાહ, અવિહક પુરુષાર્થ, ગુરુસેવા, સ્વ-પર કલ્યાણની ભાવના – આ સર્વ ગુણાને કારણે તેઓશ્રી ટૂંક સમયમાં બહુશ્રુત વિદ્વાન તરીકે સિદ્ધ થયા. વળી, તેઓશ્રી શાસનના કુશળ મુનિરાજ, ન્યાયમાં નિપુણ અને જપ-તપ-ધ્યાનમાં સમર્થ આરાધક તરીકે સફળ બનવા લાગ્યા. તેઓશ્રીના ગહન જ્ઞાનના પરિચય તેમણે સ`પાદિત કરેલા - દ્વાદશારે નયચક ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનુ પ્રકાશન દાદરના જૈન જ્ઞાનદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતુ. અને તે વખતે પૂ. સૂરીશ્વરજીએ ગીર્વાણગિરા-સ’સ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મત્રમુગ્ધ કરી દૃીધા હતા. પૂજ્યશ્રી વકતૃત્વશક્તિમાં પણ પારંગત હતા. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી પર એકસરખું પ્રભુત્વ ધરાવતા હતા. તેએશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વના સુભગ સમન્વય થયેા હતેા, તેથી તેમનાં પ્રવચન સાંભળવા અસખ્ય ભાવિકા એકત્રિત થતા હતા. ઈડરના શ્રીસંઘે સ. ૧૯૭૧માં પૂજ્યશ્રીને ‘ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ’ના માનવંતા બિરુદથી અલંકૃત કર્યાં હતા; જ્યારે પજામી જૈનસમાજ તેઓશ્રીને - છેટે આત્મારામજી ’ના હુલામણા નામે સ ંબોધતા હતા. ૨૬-૨૭ વષઁની ભરયુવાન વયે સુલતાન જેવા અના` પ્રદેશમાં વિચરીને સુંદર છટાથી, નીડરતાપૂર્વક, બુલંદ અવાજે, ગામડે ગામડે જાહેર પ્રવચન આપ્યાં હતાં; જેના પરિણામે સેકંડા માંસાહારીઓએ માંસાહારને ત્યાગ કર્યાં હતા. પજાબ, ઉત્તર પ્રદેશ, * Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy