SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા–ર ૨૨૯ મહારાજ ( હાલ આચાર્ય શ્રી )ના શિષ્ય બીં મુનિ શ્રી યશેાવિજયજી નામ ધારણ કર્યુ. આ રીતે પૂજ્યશ્રીને બીજી વાર દીક્ષા લેવી પડી. અડગ નિશ્ચયને અંતે વિજય થયેા. પેાતે સેવેલું સ્વપ્ન સાકાર થતાં અપાર આનંદ થયા. આ રીતે સેાળ વર્ષોંની ઊગતી વયે તેમણે સંસારનાં સર્વાં પ્રલેાબાના ત્યાગ કરી શ્રમણુજીવનના સ્વીકાર કર્યાં. તે પછી પૂ. ગુરુદેવની છાયામાં રહીને શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. તેમાં પ્રકરણગ્રંથા, વ્યાકરણ, કાવ્ય, કાષ તથા આગમાદિ ગ્રંથાનું સારી રીતે અધ્યયન કર્યું, અને પોતાની વિરલ પ્રતિભાને લીધે ટૂંક સમયમાં જ જૈનધર્માંના એક ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. શાસનને ચરણે : કોઈ પણ ઉચ્ચ ધ્યેયની પાછળ સતત મડડ્યા રહેવામાં જ સાચા વિજયનાં એધાણ છે. હકીકતમાં સફળતાની આછી રેખા પણ કામાં ઊગેલી ન દેખાવા છતાં ઉચ્ચ ધ્યેયની પાછળ જે વ્યક્તિ અવિરત અને ભગીરથ પ્રયત્નો કરે છે તે જ આખરે વિજેતા અને છે. અવિરામ અને અવિરત પુરુષાર્થ વિજયશ્રીને વરાવે છે. મુનિશ્રી યશેાવિજયજી મહારાજમાં ઉપરોક્ત ગુણ્ણાના સુભગ સમન્વય હાવાથી ટૂંક સમયમાં, એટલે કે દીક્ષાના પ્રારંભના વર્ષોંથી જ સ્વકીય સર્જનશક્તિથી સાહિત્યક્ષેત્રને અજવાળવા લાગ્યા. પૂજયશ્રીમાં અપૂર્વ અને વિશિષ્ટ કલાપ્રતિભા તા હતી જ; એમાં સમ્યક્ આરાધના અને અપ્રતિમ સાધનાના ઉમેરો થયા. પિરણામે તેઓશ્રીની સર્જનાત્મક અને ચિંતનાત્મક શક્તિ વિકસવા માંડી. અને થેાડાં વરસેસમાં તે એ ક્ષેત્રમાં ચિરસ્મરણીય કુમકુમ પગલી પાડી દીધી ! ૧૮ વર્ષની નાની ઉમરમાં તેએશ્રીએ સુપ્રસિદ્ધ ‘ સ`ગ્રહણીસૂત્ર' જેવા દળદાર ગ્રન્થને ૬૦ ચિત્રા સાથે કરેલા અનુવાદ તેના સ્પષ્ટ પુરાવા છે. અવધાનકાર મુનિશ્રી વડેદરામાં અવધાનકળા શીખતા હતા. પરંતુ સમયના અભાવે અધવચ્ચે છોડી દઈને પાતાના શિષ્ય મુનિશ્રી જયાનંદવિજયજીને અવધાનમાં તૈયાર કર્યાં. તે પછી લોકોએ કેટલાંક કારણેાસર તેઓશ્રીને અવધાન શીખવાની ફરજ પાડી અને તેઓશ્રીએ અવધાન શીખી લીધાં. વાદરા જ્ઞાનમદિરના હાલમાં લગભગ ૪૦૦ શિક્ષિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ૬૦ અવધાન કરી બતાવ્યાં. ઉત્તરસાધક તરીકે મુનિશ્રી જયાન વિજયજી હતા. પ્રારંભમાં જ ૬૦ અવધાનથી શરૂઆત કરી હોય એવા આ પ્રથમ મુનિ છે. તે પછી મુ`બઈ જવાનું થયું. ત્યાં પ'. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તથા અન્ય શિક્ષિત જોડે વાર્તાલાપ થતાં ૨૦૦ અવધાન કોઈ એ નથી કર્યા. માટે તે અંગે મુનિશ્રીને દબાણ કરવામાં આવ્યું.. પૂજ્યશ્રીએ સમય મેળવીને ૧૨૫ અવધાન તૈયાર કર્યા'. અવધાનામાં કેટલાંક ભારે હતા. અડધે પહોંચ્યા પછી, જાહેરજીવનની જવાબદારી વધી જતાં દ્વિશતાવધાની થવાની ઐતિહાસિક ઘટના અટકી ગઈ. રાજકીય અને સાહિત્યક્ષેત્રે : આગળ જતાં, મુનિજી ન્યાય, વ્યાકરણ, અલંકારશાસ્ત્રા તથા શિલ્પ, જ્યાતિષ, સ્થાપત્ય, યાગ, ઇતિહાસ, મંત્રશાસ્ત્ર આદિના ઉત્કટ અભ્યાસી અન્યા. તેઓશ્રીની વિદ્વત્તા સતામુખી અની રહી. અનેક જૈન-જૈનેતર વિદ્વાનો, કલાકારો, સામાજિક કાર્ય કરો, રાજકારણીએમાં પૂજ્યશ્રી આદરણીય અને આકષ ણુનું કેન્દ્ર બની રહ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy