SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શાસનપ્રભાવક માટે પૂરતી છે કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવાં ભદ્રપરિણમી અને એકબીજાના સુખે સુખી દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં ! સુરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક પાઠશાળા સ્થાપવાનું નક્કી થયું તે તેની સાથે સગત મુનિશ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું અને એ રીતે પિતાની નિષ્કામવૃત્તિનો અને નિસ્પૃહી સ્વભાવને પરિચય આપ્યું. સુરતમાં રહ્યા તે દરમિયાન મુનિશ્રી સિદ્ધિવિજયજી પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા. એમણે પૂજ્યશ્રી પાસે સૂત્રસિદ્ધાંતને, ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્રને અભ્યાસ કર્યો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા સ્થપાઈ. પૂ. આત્મારામજી મહારાજ તે એમને બેટા ચાચા ” કહીને બોલાવતા. પૂજ્યશ્રીને અભ્યાસ પ્રત્યે ખૂબ તાલાવેલી રહેતી. એ માટે તેઓશ્રી ગમે તેટલી મહેનત કરવાનું અને ગમે તે કષ્ટ સહન કરવાનું સ્વીકારી લેતા. એક વાર તેઓશ્રી છાણ હતા તે સમયે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મેટા વિદ્વાન લેખાય. પૂજ્યશ્રીને થયું કે આવા વિદ્વાન પાસે કાવ્ય અને ન્યાયને અભ્યાસ કરવાનું મળે તે કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વડોદરામાં, એ કેમ બને ? રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું, બાર માઈલની મજલ કરવી, અને સાધુજીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કરવું. પરંતુ પૂજ્યશ્રીનું સંકલ્પબળ પ્રથમથી જ અજેય કિલ્લા સમું હતું. તેઓશ્રીએ સવારે છાણીથી વડોદરા જવાનું, વડોદરા પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રેજ છાણ પાછા આવવાનું એ કમ મહિનાઓ સુધી ચાલુ રાખે. સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી રહ્યું. વિ.સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજ્યજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પંદર હજાર માનવમેદની એકત્રિત થઈ હતી. દૂર દૂરથી જેન આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક મહિના સુધી જમણવાર થયા હતા અને એ સમયે એક લાખ રૂપિયા ખર્ચ થયે. વિ. સં. ૧૯૭૫ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને કંઠ મધુર, ભલભલાને મોહી લે એ હતે. એટલે જ્ઞાન સાથે વાણીની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચને અભુત પ્રભાવ પાથરતા. જ્ઞાને પાસના પૂજ્યશ્રીનું જીવન બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાનસાધના. બાહ્ય અને અત્યંતર તપને એક જ જીવનમાં આટલે સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકે હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામપરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકે લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના કલાકેના કલાક સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતેના આધારે એનું સંશોધન કરે. એમાં કલાકો વીતી જાય તે પણ ન થાકે, ન કંટાળે. પ્રતો લખવા-સુધારવાનાં કલમ, શાહી, હડતાલ વગેરે પાસે પડ્યાં જ હોય. એ માટે ખાસ ઊંચી ઘોડી કરાવેલી, તે આજે પણ પૂજ્ય બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી, આંખેએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) હઠગને પણ અભ્યાસ કરેલે. કદાચ એમ કહી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy