SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૨ ૧૪૯ આજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જવારાપણની વિધિ, દશદિકપાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર ” બાંધવાનું થયું. શ્રી આગદ્ધારક સંસ્થાની સ્થાપના કરી. પાલીતાણાસ્થિત સુરતના ઝવેરી નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલા સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીતે પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો. પ્રાંગણમાં “આગમેદ્વારકશ્રીની સાહિત્યસેવાને પરિચય આપતો બંડ બાંધવામાં આવ્યું, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણ કળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓને ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠિઓએ પિતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનને કબજે લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘને, પેઢીઓને, શ્રાવકને જાગૃત કરીને સમેતશિખરજીને પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્ન કર્યા. કલકત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓને વિશાળ શિષ્ય–પ્રશિષ્ય સમુદાય ખડે કર્યો ! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઉપસે છે ! કટિ કોટિ વંદન હો એ મહાત્માને ! (સંકલન : પૂ. મુનિશ્રી પ્રમેદસાગરજી મ. લિખિત જીવનચરિત્રમાંથી સાભાર) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy