SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-ર ૧૪૭ અવિરત અને અવિરામ કાર્યરત રહેતાં પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપેરે પૂજ્યશ્રી અર્ધ પદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્ય “અરિહંત શરણું પવજજામિ” સંભળાવતા હતા, અને ચતુવિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયે. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦ થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્ય ભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આગામિક તથા સાહિત્યક્ષેત્રે ગદાનઃ ૧. ૮ લાખ શ્લેકપ્રમાણ ૧૦૦ ગ્રંથનું સંપાદન. ૨. રાા લાખ લોકપ્રમાણ ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર કલેકપ્રમાણુ આગમિક ગ્રંથનું સર્જન. ૪. ૭૦ હજાર લોકપ્રમાણ અનેક વિષયના ગ્રંથનું મૌલિક સર્જન. પ. ૧પ હજાર કલેકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવના ૮૦ ગ્રંથ પર. ૬. ૪૦ હજાર કુલસ્કેપ કાગળ પ્રમાણે ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ તથા તામ્રપત્રમાં કંડારાવી દીર્ધાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગેટ છ માસ સુધી.) અનન્ય શાસન પ્રભાવના : યથારામગુણ પૂજ્યશ્રી આગમના મહાન ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હોતે જ, સંયમજીવન સ્વીકારીને શાના અભ્યાસ પ્રત્યે ઓર લગની લાગી. હંમેશાં ૫૦૦ લેકનું વાચન કરવાનું વ્રત એ જ સ્વાધ્યાય પ્રીતિનાં દર્શન કરાવે છે. તેઓશ્રીએ જોયું કે તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં આત્માને તારનાર બે જ તો છે : એક, જિનબિંબ–મંદિરે થયાં છે અને થતાં રહેશે. બીજુ, જિનાગમ-શ્રુતજ્ઞાન–જેનું સાચું શુદ્ધ સ્વરૂપ યાવચ્ચે દિવાકરી ટકી રહે તેમ કરવું જોઈએ. પૂજ્ય દેવર્ધિગણી ક્ષમાશ્રમણ ભગવંતે ત્યારે જે જે કંઠસ્થ હતું તે તે સમસ્ત સાધુવને એકત્રિત કરીને લિપિબદ્ધ કર્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો સોનાચાંદીના અક્ષરે અંકિત કરાવ્યું હતું. મહામંત્રી વસ્તુપાલ તેજપાલે અનેક ભવ્ય ગ્રંથભંડાર કરાવ્યા હતા. કેટલાક દ્વેષી રાજવીઓ દ્વારા કે વિધર્મીઓના હુમલામાં કેટલાક ગ્રંથભંડાર છિન્નભિન્ન કે નઈ થયા હતા અને કેટલીક વાચનાઓ શુદ્ધ રહી ન હતી. આ બધું અતંત્ર જઈ ને પૂજ્યશ્રીની નિદ્રા ઊડી ગઈ હતી. હળપળે પિતે એક જ ચિંતામાં નિમગ્ન રહેતા હતા. એવામાં પન્યાસપદ ગ્રહણ કર્યા પછી, સુરતમાં સ્થિત હતા ત્યારે, તેઓશ્રીની મનોકામના સાકાર થવાનો પ્રસંગ ઊભો થયે. તે જમાનામાં, આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે , પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ”ની સ્થાપના કરવામાં આવી. અને તે સાથે વિવિધ ગ્રંથનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તક આપવાને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy