SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શાસનપ્રભાવક દિવસે મહામહેાત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. યથાનામદ્ગુણુ બુદ્ધિના મહાસાગર અન્યા. વડી દીક્ષાના ચાગેન્દ્વહન કરી, પાંચ મહાવ્રત તથા રાત્રિભોજન વિરમણવ્રત ઉચ્ચર્યાં. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રથમ ચાતુર્માંસ સુરત પધાર્યા. ત્યાં પણ ખ્રિસ્તી ધર્માંના પ્રચારકો જૈનધમ ના પ્રત્યે વિષવમન કરતા હતા. મુનિવરથી આ સહન ન થયું. તેઓશ્રીએ આહ્વાન આપ્યુ કે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા નિમંત્રણ છે. પરંતુ કોઇ આવ્યું નહી. ત્યાર પછી પૂજ્યશ્રીએ કલમ ઉપાડી, એક પછી એક લખાણ પ્રગટ કરતા રહ્યા. કોઈ પણ જાતની તીખાશ કે કડવાશ વિના, પૂરતી સૌજન્યશીલ વાણીમાં જૈનધર્મની પ્રસ્થાપના કરતા રહ્યા. પ્રથમ ગ્રંથનું નામ હતું જૈનધ ખ્રિસ્તીધર્મ ના મુકાબલે. ’ જૈન ખ્રિસ્તી સ ́વાદ.' પરિણામે, ચાવીસ વર્ષોંના સુદીર્ઘ સયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રી આવા મુકાબલા માટે હ ંમેશાં અજેય પુરવાર થયા. 6 પુજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના કરી પારંગત બન્યા હતા. કલાકાના કલાકો સુધી સહજ સમાધિભાવમાં અંડાલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક એજસવંત લેાકેાત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈ ને પૂજ્યશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પાતાની પ્રતિભા, પ્રજ્ઞા અને પુરુષાની શક્તિઓ દ્વારા પૂજ્યશ્રી સમાજ અને શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા. તે સમયમાં ચામેર અંધશ્રદ્ધા, વહેમ, શંકા અને અજ્ઞાનતાનાં અંધારાં છવાઈ ગયાં હતાં. ભૂત, પ્રેત અને ભૂવાઓનુ સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. આવી દયનીય સમાજસ્થિતિથી લાકે ત્રાસી ગયાં હતાં. કોઈ ઉદ્ધારક નરશાર્દૂલ જન્મે એની રાહ જોતાં હતાં. એવે સમયે મહુડીમાં શ્રી પદ્મપ્રભુજીના નૂતન જિનાદ્ધયના સાન્નિધ્યમાં, શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, સમ્યક્દૃષ્ટિ શાસનરક્ષક, પરોપકારરસિક યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની પ્રભાવક મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ભ્રષ્ટ થતી જતી પ્રજાનું ધ, શ્રદ્ધા અને આચારથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. પરંતુ એ સમયે સંપ્રદાયમાં પણ અનેક વાદવિવાદો પેદા થયા હતા અને ફાલ્યાફૂલ્યા હતા. નાના નાના વાડા ઊભા થતા જતા હતા. પૂજ્યશ્રીને પાતાનાં કાર્યોમાં સહાય કરે એવા વ અલ્પ હતા. તેમ છતાં, તેઓશ્રી પાતાના નિણૅયામાં અડગ રહ્યા અને સામાજિક નવાત્થાનનાં કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનુ છે. તેમણે એક પછી એક એમ એકસા આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને ધમયેાતને ઝળહળતી રાખી. અનેક ભાવિકાનાં અંતરમાં જ્ઞાનજ્યોતના પ્રકાશ પ્રસાયે. સ્થાનકમાગી સંપ્રદાયના શ્રી અમીઋષિ જેવા મુનિએ આ ગ્રંથાના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીનાં સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનાથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વા તેમના દર્શનને ઝંખતા; દર્શન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકે પ્રેરણા પામીને કબ્યશીલ બનતા. વડાદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ રાજમહેલમાં પધારી કરેલા પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy