SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે તેમાં પેસી ગયેલા ભેજને દૂર કરવા માટે સહુથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક માસ જ છે : તેમાં શરદઋતુની પ્રોઢાવસ્થા, સૂર્યના પ્રખર કિરણો તેમ જ વર્ષાઋતુની ભેજવાળી હવાનો અભાવ હોય છે. જે ઉદ્દેશથી ઉક્ત તિથિનું માહાત્મ વર્ણવવામાં આવ્યું હતું તે અત્યારે લગભગ ભૂલાઈ ગયો છે. એટલે કે પુસ્તક-ભંડારોની તપાસ કરવી, ત્યાંનો ક્યારો સાફ કરવો આદિ લુપ્ત જ થયું છે. માત્ર તેના સ્થાનમાં આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં ગામોમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ કહેવત પ્રમાણે કેટલાંક પુસ્તકોની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા, સત્કાર આદિ કરવાનો રિવાજ ચાલુ છે. મુંબઈની કચ્છી જૈન દશા ઓસવાળની ધર્મશાળામાં હજુ પણ પુસ્તકોની પ્રતિલેખના, તપાસ, સ્થાપના આદિ વિશેષ વિધિસર કરવામાં આવે છે, જેથી અન્ય ગામો કરતાં ઉક્ત તિથિનો ઉદેશ કેટલેક અંશે ત્યાં જળવાતો જોવાય છે. અસ્તુ. અત્યારે સહાય તેમ થતું હો, તથાપિ એટલું તો કહી શકાય કે સાહિત્યરક્ષા માટે જૈનાચાર્યોએ જે યુક્ત યોજી છે તે ઘણી જ કુનેહભરી છે. દિગંબર જૈનો જયેષ્ઠ શુક્લ પંચમીને જ્ઞાનપંચમી કહે છે એમ મારા સાંભળવામાં છે. જો તે વાત સાચી જ હોય તો એટલું કહી શકીએ કે પુસ્તક–રક્ષાની દૃષ્ટિએ કાર્તિક શુક્લ પંચમી વધારે યોગ્ય છે. ઉપસંહાર–મુદ્રણયુગમાં લિખિત સાહિત્યને ઉકેલનારાઓનો તેમ જ તે પ્રત્યે આદરથી જોનારાઓનો દુષ્કાળ ૨૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy