SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચારસો વર્ષ જેટલા એક પુરાતન પત્રમાં તાડપત્રીય અંકોની નોંધ મળી છે. તેમાં સાતસો પાનાં સુધીના અંકોની નોંધ કરેલી છે. એટલે તે નોંધ કરનારે તેટલાં પાનાંનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હોય એમ માનવાને કારણ છે. પુસ્તકરણ–હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં ગુંદર આવતો હોવાથી વર્ષાઋતુમાં તે ચોંટી જવાનો ભય રહે છે, માટે તે ઋતુમાં પુસ્તકોને હવા ન લાગે તેમ સુરક્ષિત રાખવાં જોઈએ. આ જ કારણથી હસ્તલિખિત પુસ્તકોને સારી રીતે મજબૂત બાંધી કાગળના, ચામડાના કે લાકડાના ડાબડામાં મૂકી કબાટમાં કે મજૂસ (મંજૂષા)માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેમ જ ખાસ પ્રયોજન સિવાય વર્ષાઋતુમાં વરસાદ ન વરસતો હોય ત્યારે પણ લિખિત પુસ્તકભંડારોને ઉઘાડવામાં આવતા નથી. જે પુસ્તક બહાર રાખેલું હોય, તેના ખાસ ઉપયોગી ભાગ સિવાય બાકીનાને પેક કરી સુરક્ષિતપણે રાખવામાં આવે છે. કોઈ પુસ્તકની શાહીમાં ગુંદરનો ભાગ પ્રમાણ કરતાં વધારે પડેલો હોઈ તેને બહાર કાઢતાં ચોંટવાનો ભય લાગતો હોય તો તેનાં પાનાંઓ ઉપર ગુલાલ છાંટી દેવો–ભમરાવવો, એટલે ચોંટી જવાનો ભય અલ્પ થઈ જશે. ચોટેલું પુસ્તક–વર્ષાઋતુમાં અગર કોઈ પણ કારણસર પુસ્તકને હવા લાગતાં તે ચોંટી ગયું હોય તો તે પુસ્તકને પાણિયારાની કોરી જગ્યામાં હવા લાગે તેવી રીતે અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ હવાવાળી માટલી કે ઘડામાં મૂકવું. પછી તેને હવા લાગતાં તે પુસ્તકના એક એક પાનાને ફૂંક મારી ધીરે ૨૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy