SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્ બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રાખવું કે આ બે-પાંચ વખત કરવાથી જ નથી થતું, પણ વીસ-પચીસ વખત આ પ્રમાણે હિંગળોકને ધોવાથી શુદ્ધ-લાલ સુરખ જેવો હિંગળોક થાય છે અને મોટો ઘાણ હોય તો તેથી વધારે વખત પણ ધોવો પડે છે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય, તે માટે વચમાં વચમાં ખાતરી કરતાં રહેવું, એટલે કે એક પાના ઉપર તે હિંગળોકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગામાં (પાણિયારામાં અગર હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂકવું. જો તે પાનું ન ચોટે તો ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને નખથી ખોતરતાં સહજમાં ઊખડી જાય તો ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું. સાકરનું પાણી એક-બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલા હિંગળોકનો ઉપયોગ લાલ શાહીરૂપે કરાય છે. હરિતાલ–દગડી અને વરગી એ બે પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક સંશોધનમાં વરગી હરિલાલ ઉપયોગી છે. આને ભાંગતાં વચમાં સોનેરી વરકના જેવી પત્રીઓ દેખાય છે માટે તેને વરગી હરિતાલ એ નામથી ઓળખવામાં આવે છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી અને તેને ૧૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy