________________
૪. “કાજલ ટાંક ૬, બીજાબોલ ટાંક ૧૨, ખેરનો ગુંદ ટાંક
૩૬, અફણ ટાંક , અલતા પોથી ટાંક ૩, ફટકડી કાચી ટાંક olી, નિંબના ઘોટાસુ દિન સાત ત્રાંબના પાત્રમાં
ઘૂંટવી.” ૫. “કાથાના પાણીને કાજળમાં નાખી તેને ખૂબ ઘૂંટવું. કાથો
નાંદોદી, જે કાળો આવે છે, તે સમજવો.” ૬. “હરડાં અને બહેડાનું પાણી કરી તેમાં હીરાકસી નાખવાથી કાળી શાહી થાય છે.”
કાગળની શાહીના આ છ પ્રકારો પૈકી પુસ્તકોને ચિરાયુષ્ક બનાવવા માટે પ્રથમ પ્રકાર જ સર્વોત્તમ તેમ જ આદરણીય છે. તે પછીના ત્રણ (૨-૩-૪) એ મધ્યમ પ્રકાર છે. જો કે આ ત્રણ પ્રકારથી બનેલી શાહી પહેલા પ્રકાર કરતાં પાકી અવશ્ય છે; તથાપિ તે પુસ્તકને ત્રણ શતાબ્દીમાં મૃતવત્ કરી નાખે છે, અર્થાત્ પુસ્તકને ખાઈ જાય છે; એટલે તેને આદર ન જ આપવો એ વધારે ઠીક ગણાય અને અંતિમ બે પ્રકાર (૫-૬) એ તો કનિષ્ઠ તેમ જ વર્જનીય પણ છે, કારણ કે આ પ્રયોગથી બનાવેલ શાહીથી લખાયેલું પુસ્તક એક શતાબ્દીની અંદર જ યમરાજનું અતિથિ બની જાય છે. પણ જો થોડા વખતમાં જ રદ કરીને ફેંકી દેવા જેવું કાંઈ લખવું હોય, તો આ બે પ્રકાર (પ-૬) જેવો સરળ તેમ જ સસ્તો ઉપાય એકે નથી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org