SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 44 સમક્ષ ઉપસ્થિત તથા અને છેલ્લી સાંકળ (બેડી)ને તોડવા માટે બધાને પડકાર ફેંક્યો. . પણ રાજસભામાં કોઈ તૈયાર ના થયું. ત્યારે માનતુંગસૂરિએ છેલ્લો શ્લોક ગાયો અને છેલ્લી બેડી પણ તૂટી ગઈ. રાજાએ આચાર્યશ્રી, જૈન ધર્મ અને જિનેશ્વર દેવની ખુબ ખુબ પ્રશંસા કરી. ભક્તામર શું છે ? (૧) (૨) (૩) (૫) (૬) (9) (ર) (૯) આ સ્તોત્રનો પાઠ-અધ્યયન કરનારને કોઈ તકલીફ નડતી નથી. ૭ થી ૧૦માં શ્લોકમાં તીર્થંકરની તુલના સૂર્ય, ક્ષીરસમુદ્ર સાથે કરીને એના ગાનનો મહિમા કર્યો છે. (૧૦) આ સ્તોત્રની તુલના પારસમણી સાથે કરી છે. (૧૧) આ ભક્તામર યંત્રના અધિષ્ઠાયક દેવ-દેવી ગોમુખયક્ષ અને ચક્રેશ્વરી દેવી છે. જેઓ ભક્તામરના આરાધકની રક્ષા કરે છે. - બધા જ શ્લોકો વસંતતિલકા છંદમાં રચાયેલા છે. ૨૬ માં શ્લોકમાં તીર્થ કરોને શ્રેષ્ઠ નમસ્કાર કર્યો છે. ૧૧ થી ૨૦માં શ્લોકમાં સૂરિમંત્રના બીજાક્ષરોની ગૂંથણી છે. શ્લોક ૨૮ થી ૩૨ માં અતિશયોની વાત છે. ૩૪માં શ્લોકમાં તીર્થંકરની વાણી તથા સમવસરણની રચનાની વાત છે. ભક્તામરનો દરેક શ્લોક બીજાક્ષરથી યુક્ત છે. એના પોતાના યંત્રો છે. આ યંત્રો તાંબાના પતરા ઉપર તૈયાર કરેલા હોય છે, એનું માંડલું પણ બનતું હોય છે. પૂજન વખતે દરેક શ્લોકના ઉચ્ચાર સાથે એક એક દીવો પ્રગટાવીને માંડલામાં ગોળ મૂકાતા હોય છે. બધા મળીને ૪૪ થી ૪૮ દીવા થાય છે. ભક્તામર પૂજનના પ્રારંભમાં સ્નાત્રપૂજા આવશ્યક છે. પાછળથી ૧૦૮ દીવાની આરતી, મંગળદીવો, શાંતિકળશ અને ચૈત્યવંદન કરાય છે. દિવસ - ૬ બુધવાર ૨૪ ઓગષ્ટ, ૨૦૦૫ તીર્થંકર - પ્રતિમાની યાત્રા (ભગવાનનો વરઘોડો) રથયાત્રા એટલે તીર્થંકર પરમાત્માની સુંદર પ્રભાવશાળી પ્રતિમાને નગરના મુખ્ય માર્ગો ઉપર રથમાં બેસાડીને ફેરવવી જેથી બધા જ લોકો તેમના દર્શન કરી શકે. એમાં બેન્ડ-સંગીત પાર્ટી, ચતુર્વિધ સંધ પણ જડાય છે. ચાલુ ભાષામાં આને વરઘોડો કહે છે પણ એનું મૂળ અને અર્થપૂર્ણ નામ છે રથયાત્રા, ચૈત્યયાત્રા ! ચૈત્યયાત્રા એટલે નગરમાં રહેલા ચૈત્યો(જિનાલયો)ના દર્શન કરવા, પૂજા કરવી. દિવસ ७ ૩૫ થી ૪૩ શ્લોકોમાં ૮ પ્રકારના ભીષણ ભયો કેવી રીતે દૂર થાય તેની વાત છે. ૪૨ માં શ્લોકમાં સંસારના તમામ ભયોને દૂર કરીને, બધા જ કર્મોને દૂર કરીને આત્માને ઉચ્ચ સ્થિતિએ લઈ જવાની વાત છે. Jain Education International ગુરુવાર -૨૫-૮-૨૦૦૫ લગ્નની ક્રિયા આમ તો સાંસારિક હોવાથી મોક્ષમાર્ગે પ્રયાણ કરતા સાધક માટે એ બાધક બને છે. પણ તીર્થંકરના જીવનની પ્રત્યેક ઘટના, પ્રત્યેક ક્ષણ આનંદ અને હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે ઉજવાતી હોય છે. માટે અહીં લગ્નની ક્રિયાનો નિર્દેશ છે. જો કે આ બધો ઝાકઝમાળ અને ભોગસુખોની રેલમછેલ વચ્ચે બચેલા મોહનીયકર્મના ઉદયને ખપાવવા માટે ભીતરથી વિરક્ત રહીને માત્ર માતા-પિતાને આગ્રહને વશ થઈ લગ્ન કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004558
Book TitleJina Poojan
Original Sutra AuthorN/A
AuthorOshwal Associations of The UK
PublisherOshwal Associations of The UK
Publication Year
Total Pages52
LanguageGujarati, English
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy